Blue Book 1 Quotes

Rate this book
Clear rating
Blue Book 1 Blue Book 1 by Kaajal Oza Vaidya
6 ratings, 4.17 average rating, 1 review
Blue Book 1 Quotes Showing 1-4 of 4
“એક બુદ્ધિશાળી સ્ત્રી માટે એ જેની સાથે વાતો કરી શકે એવો પુરુષ અનિવાર્ય જરૂરિયાત છે... મજાની વાત એ છે કે જો એ સ્ત્રીને આવો પુરુષ ‘પ્રેમી’ કે ‘પતિ’ તરીકે ન મળી શકે તેમ હોય તો એ એને ‘મિત્ર’ બનાવીને પણ એ સંબંધ ટકાવી રાખવા માગે છે. એવું પણ માનવામાં આવે છે કે સ્ત્રી ક્યારેય રિજેક્શન કે રિફયુઝલ સહી શકતી નથી, આ વાત મોટા ભાગની બુદ્ધિશાળી સ્ત્રીઓની બાબતમાં ખોટી પુરવાર થાય છે, કારણ કે જ્યારે સ્ત્રી બુદ્ધિશાળી હોય ત્યારે એને એટલું ચોક્કસ સમજાય છે કે મહામુશ્કેલીએ મળેલો આ ‘શબ્દો’ અને ‘મૌન’ બંને સમજી શકે એવો પુરુષ ફક્ત શરીર ખાતર જવા તો ન જ દેવાય! પોતાની પત્નીને પ્રેમ કરતો પુરુષ કદાચ આવી લલચામણી પળને બહુ આસાનીથી છોડી શકે છે. એને એટલું ચોક્કસ સમજાય છે કે શરીરના મોહમાં વર્ષોથી સાચવી રાખેલી સભ્યતા, સંસ્કાર અને સુખની હોળી ન કરાય.”
Kaajal Oza Vaidya, Blue Book 1
“જ્યારે સ્ત્રી પોતાના કોઈ શોખ મારે કે મન મારીને પોતાના કુટુંબ માટે કોઈ સમર્પણ કરે ત્યારે એને ‘દેવી’ કહીને નવાજવામાં આવે છે, પરંતુ લગભગ દરેક પુરુષ પોતાની જરૂરિયાતોને હંમેશાં પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી છેલ્લે મૂકે છે. આ વાતની નોંધ ભાગ્યે જ કોઈએ લીધી છે.”
Kaajal Oza Vaidya, Blue Book 1
“માનસિક મુક્તિની ઝંખના પુરુષને કોઈ કારણ વગર પ્રેમથી અથવા સંબંધથી દૂર લઈ જાય છે. આમાં મહદંશે સંબંધમાં રાખવામાં આવતી વધુ પડતી અપેક્ષાઓ જવાબદાર પુરવાર થાય છે. દુનિયાનો કોઈ પણ જીવ મુક્તિ ઝંખે છે. વૃક્ષને પણ ખુલ્લી હવા અને સૂર્યપ્રકાશ જોઈએ છે, પંખીને આકાશ જોઈએ છે. પ્રાણીઓ જંગલમાં જ વધુ સારી રીતે જીવી શકે છે, એનો અર્થ એ થાય છે કે જીવ માત્ર બંધનમુક્ત જીવવાની ઝંખના સાથે જન્મે છે.”
Kaajal Oza Vaidya, Blue Book 1
“સ્ત્રી જાણે છે કે પુરુષ માટે એના પરિવારજનો મહત્ત્વના છે, પુરુષના પરિવારને અપશબ્દો કહેવા, એની માનું અપમાન કરવું કે એને સરખી રીતે ન રાખવી, પતિનો ગુસ્સો પતિની હાજરીમાં જ સંતાનો પર ઉતારવો વગેરે બ્લૅકમેઇલિંગનાં હથિયારોનો ઉપયોગ ઘણી સ્ત્રીઓ કહે છે. નાક દબાવીને મોઢું ખોલાવવાની આ આખીયે પ્રક્રિયા પુરુષ માટે બહુ પીડાદાયક પુરવાર થાય છે. પોતાના પૌરુષના મોહરાને સાચવી રાખીને એણે સમાજમાં સુખી લગ્નજીવનનો દંભ કરતા રહેવાનું છે, તો બીજી તરફ ઘરમાં દાખલ થતાં જ ક્યારે બૉમ્બ ફાટશે એના ભય હેઠળ જીવવાનું છે. ક્યારે પ્રિયતમા કે પત્નીનો મિજાજ છટકશે, મૂડ બગડી જશે કે કઈ વાતે ખોટું લાગશે એનો ભાર મગજ પર રાખીને વર્તવાનું છે... આવી રીતે જીવવું સહેલું નથી. ગળાકાપ હરીફાઈના બજારમાં સફળતાને પુરવાર કરતા રહેવાનું અને સુખ માટે ઝંખતા રહેવાનું... ગમે તેટલા પૈસા વાપરવા આપે, ગમે તેટલી સગવડ ઊભી કરે કે મિજાજ સાચવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે તેમ છતાં જો પતિ શાંતિ ન પામી શકે તો એને માટે એ લગ્નજીવન અર્થહીન પુરવાર થાય છે. રસોઈ કરી આપવી, સગવડ સાચવવી, સંતાન ઉછેરવા કે ઘર ચોખ્ખું રાખવું એ કદાચ એટલાં મહત્ત્વનાં કાર્યો નથી, જેટલું અગત્યનું કામ પોતાનો મૂડ સારો રાખવાનું અને શાંતિ જાળવવાનું છે. પથારીમાં ગમે તેટલું સુખ આપતી પત્ની પણ જો કર્કશા હોય તો અંતે પુરુષ મુક્તિની દિશા જ શોધે છે... હાર્ટઅટેક, બ્લડપ્રેશર, ડાયાબિટીસમાંથી બચવા માટે પુરુષ લગ્નેતર સંબંધનો આશરો લેતો હશે?”
Kaajal Oza Vaidya, Blue Book 1