Satatya Quotes

Rate this book
Clear rating
Satatya (Gujarati Edition) Satatya by Suresh Dalal
18 ratings, 3.89 average rating, 0 reviews
Satatya Quotes Showing 1-1 of 1
“કાંઠા પરનાં વૃક્ષો
જળમાં ઊગ્યાં છે કે વાદળમાં
એની વિમાસણ થયા કરે એમ
આકાશ અને સરોવર એક થઈ ગયાં છે! સરોવરમાં કિરમજી રંગ
ભૂખરી છાયાની સોડમાં
સૂતો છે!
ક્યાંક બરફ પીગળે છે
બળતી મીણબત્તીની જેમ!
હવા એટલી ઠંડી છે
કે શિશુ જેવા શબ્દોને
કાનટોપી વિના બહાર પણ કેમ મોકલાય? મોસમ અને મન બદલાયા કરે છે.
ક્યારેક વનમાં નર્યો લીલો રંગ હોય છે!
આટલી બધી લીલાશ જીરવાશે ખરી?
આટલાં બધાં ફૂલોને હળવેથી ઉઘાડીને
ઈશ્વર કયો પ્રદેશ ચીંધે છે
આપણી તરફ ડાળીઓ એકમેકમાં ગૂંથાઈ છે
ગૂંચવાઈ નથી.”
Suresh Dalal, Satatya