More on this book
Community
Kindle Notes & Highlights
Read between
February 2 - February 28, 2023
વિચાર, ભાવના, શક્તિ, પ્રકાશ, પ્રેમ અને સૌંદર્યના આ આંતરિક જગતને શોધી કાઢવાનો તમને પૂરો હક છે. આ શક્તિઓ અદૃશ્ય, પણ ખૂબ જ શક્તિશાળી છે. તમારા અર્ધજાગ્રત મનમાં દરેક સમસ્યાનું સમાધાન અને દરેક પરિણામનું કારણ હોય છે. જ્યારે તમે આ છૂપી શક્તિઓનો ઉપયોગ કરતાં શીખી જશો ત્યારે તમને સુખ, સલામતી, આનંદ અને અધિકારની દુનિયામાં પ્રવેશ મળી જશે.
જ્ઞાની લોકો પોતાની આંતરિક દુનિયામાં જીવે છે.
ખજાનો તમારી અંદર જ છે. તમારા હૃદયની ઝંખનાનો જવાબ તમારી અંદર શોધો.
તમે વહાણના કેપ્ટન જેવા છો. તમારે યોગ્ય આદેશો આપવા પડશે, નહીંતર જહાજ ક્યાંક અથડાઈ જશે. એ જ રીતે તમારા અર્ધજાગ્રત મનને યોગ્ય આદેશો (વિચારો તથા તસવીરો) આપવા પડશે.
તમારા અર્ધજાગ્રત મનની પ્રતિક્રિયા તમારા જાગ્રત મન દ્વારા સર્જવામાં આવેલા વિચાર દ્વારા નક્કી થાય છે.
વારંવાર પુનરાવર્તિત કરવામાં આવેલ વિચારનો તમારું અર્ધજાગ્રત મન સ્વીકાર કરી લે છે.
તમારી પાસે પસંદગી કરવાની ક્ષમતા છે. જીવન પસંદ કરો, પ્રેમ પસંદ કરો, સ્વાસ્થ્ય પસંદ કરો.
તમે એ જ બનશો, જે તમે આખો દિવસ વિચારતા રહેશો.
તમારા મનનો ઉપયોગ દરેક લોકોને ઉપયોગી, પ્રોત્સાહિત અને માર્ગદર્શક થવા માટે કરો.
તમારા વિચાર જ તમારા અનુભવો બનીને ઊભરી આવે છે.
અમેરિકન વિચારક રાલ્ફ વાલ્ડો એમરસને કહ્યું હતું કે, “માણસ અંતે એ બની જાય છે, જે આખો દિવસ તે વિચારે છે.”
જ્યાં સુધી પહેલાં તમારા મનમાં ન પ્રગટે ત્યાં સુધી કોઈ પણ ચીજ તમારા શરીરમાં પ્રગટ નથી થતી,
એક વાત ખાસ જાણી લો કે શ્રદ્ધા જમીનમાં રોપાયેલા બીજ જેવી છે. આપણે જેવું વાવીએ તેવું પામીએ છીએ. તમારા મનમાં વિચારનું એક બીજ વાવો, તેને શ્રદ્ધા અને આશાનું નિર્મળ જળ તથા ખાતર પૂરાં પાડો, ધીમે ધીમે આ વિચાર વાસ્તવિકતામાં ફેરવાઈ જશે.
તમામ રોગ પહેલાં મનમાં પેદા થાય છે. કોઈ પણ ચીજ શરીરમાં ત્યાં સુધી જન્મી નથી શકતી, જ્યાં સુધી તેને અનુરૂપ માનસિક વ્યવસ્થા ન થાય.
જીવનની સૌથી મૂળભૂત અને દૂરગામી ચીજ એ છે, જે તમે દરેક કલાકે તમારી માનસિકતામાં રચો છો.
વિશ્વાસનું પરિવર્તન જ દરેક ઉપચારનો મુખ્ય આધાર છે.
જો તમે ભય, ક્રોધ, ઈર્ષ્યા અને દુર્ભાવનાના વિચારો દ્વારા તમારા શરીરમાં ફરીથી દૂષણ પ્રવેશવા દો, તો તેમાં તમારા સિવાય બીજું કોઈ જ દોષી નથી.
દરેક પ્રશ્નનો કોઈ ને કોઈ જવાબ તો હોય છે અને દરેક મુશ્કેલીનું સમાધાન હોય છે.
સંપત્તિનો સાચો સ્રોત તમારા વિચારો છે. તમારા એક વિચારનું મૂલ્ય લાખો ડૉલરનું પણ હોઈ શકે. તમારું અર્ધજાગ્રત મન તમારા દ્વારા કરવામાં આવેલા વિચારને ફલિત કરી આપશે.
જ્યારે લોકો ધનનો સંગ્રહ કરવા માંડે છે, તેને ડબ્બામાં બંધ કરવા લાગે છે અને ભય તથા શંકાના જાળામાં ફસાવા લાગે છે, ત્યારે તે આર્થિક રીતે બીમાર થઈ જતા હોય છે.
તમે સંતુલિત જીવન જીવવા માટે આવ્યા છો, તેમાં તમારી જરૂર પ્રમાણેનું ધન પામવાની વાત પણ સામેલ છે.
જ્યાં સુધી તમે તમારા કામને પ્રેમ ન કરતા હોવ ત્યાં સુધી શક્ય છે કે તમે સફળતાનો અનુભવ નહીં કરી શકો.
સફળતાનું બીજું પગલું છે કામના કોઈ ક્ષેત્રમાં વિશેષજ્ઞતા મેળવવી અને તેમાં ઉત્કૃષ્ટ તથા સર્વશ્રેષ્ઠ બનવાની ઇચ્છા રાખવી તે.
જે સૌથી મહાન છે, તેણે સેવક બનવું પડશે.
સાચી સફળતાનું માપ
સફળતાનો અર્થ છે સફળ જીવન. જો તમે શાંત અને સુખી છો અને તમારું ગમતું કામ કરી રહ્યા છો, તેનો અર્થ એ છે કે તમે સફળ છો.
સફળ માણસો સ્વાર્થી નથી હોતા. તેમની મૂળ ઇચ્છા માનવતાની સેવાની હોય છે.
સૌથી પહેલાં તો બીજાને બદલ્યા કરતાં કઠોર થઈને પોતાની જાતને બદલતાં શીખવું પડશે.
સુખનું સામ્રાજ્ય તો તમારા વિચારો અને લાગણીઓમાં જ રહેલું છે.
સુખ, શાંત મનમાં ઊગતો પાક છે. તમારા વિચારોનું દોરડું શાંતિ, સંતુલન, સલામતી અને દૈવી માર્ગદર્શનના ખૂંટ પર બાંધો. તમારા મનમાં આપોઆપ સુખ ઉદ્ભવશે.
બીજા કોઈ કંઈ પણ કહે ત્યારે આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ તે સૌથી અગત્યની હોય છે.
હું કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે ચીજને મને ચિડાવવાનો અધિકાર કે શક્તિ આપતો નથી.
કોઈ પણ વ્યક્તિ ભલે તમને ગમે તે કહે, પણ એ તમને ત્યાં સુધી ન ચીડવી શકે જ્યાં સુધી તમે તેને ચીડવવાની કે વિચલિત કરવાની અનુમતિ ન આપો. બીજી વ્યક્તિ તમને એક જ રીતે વિચલિત કરી શકે અને એ છે તમારા પોતાના વિચારો.
ઘટી રહેલી ઘટના પ્રત્યે આપણે શું પ્રતિક્રિયા આપવી તે આપણા પર આધારિત હોય છે.
નકારાત્મક પ્રતિક્રિયા ન આપવી તે પરિપક્વ ક્રિયા છે.
કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે વસ્તુને એવી અનુમતિ ન આપો કે એ તમને શાંતિ અને સ્વાસ્થ્યના આંતરિક અહેસાસથી દૂર કરે.
નકારાત્મક અને પીડાદાયક સ્મરણો, કડવાશ અને દુર્ભાવના તમારી અંદરના જીવનસિદ્ધાંતને મુક્ત રીતે કાર્ય કરવા દેતા નથી.
જ્યારે તમે જાણી લો કે તમે તમારા વિચારો, પ્રતિક્રિયાઓ અને ભાવનાઓના માલિક છો, ત્યારે તમે પીડિત નથી થતા. ભાવનાઓ વિચારોનું અનુસરણ કરે છે અને તમને વિચલિત કે ચિંતિત કરનાર તમામ વિચારોનો અસ્વીકાર કરવાની તમારામાં શક્તિ હોય છે.
જો કોઈ તમારી ટીકા કરે અને તમારી અંદર ખરેખર તે મુજબની ઊણપો હોય તો ખુશ થઈને તેનો આભાર માનો અને તેણે કરેલી ટીકા માટે તેને શાબાશી આપો. આના લીધે તમને તમારા દોષ સુધારવાની તક મળશે.
તમે ટીકાથી દુઃખી નહીં થાવ, કેમકે તમને ખબર છે કે તમે તમારા વિચારો, પ્રતિક્રિયાઓ અને ભાવનાઓના સ્વામી છો. આનાથી તમને સામેવાળી વ્યક્તિ માટે પ્રાર્થના કરવાની અને તેના સુખની મનોકામના કરવાની તક મળે છે. આમ કરીને તમે તમારી જાતને જ દુઆ આપતા હોવ છો.
કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ નથી હોતી. માણસના વિચારો તેને સારી કે ખરાબ બનાવે છે. ભોજન, સેક્સ, ધન કે સાચી અભિવ્યક્તિની ઇચ્છામાં કોઈ જ ખરાબી નથી. મૂળ આધાર તો તેના પર છે કે તમે આ ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને કામનાઓનો પ્રયોગ કેવી રીતે કરો છો. તમારા ભોજનની ઇચ્છા કોઈનો જીવ લીધા વિના પણ પૂરી થઈ શકે છે.
દ્વેષ, નફરત, દુર્ભાવના અને શત્રુતા ઘણાબધા રોગોનું કારણ છે. બધા પ્રત્યે પ્રેમ, લાગણી અને સદ્ભાવના રાખીને તમને દુઃખી કરનાર લોકોને માફ કરો. આવું ત્યાં સુધી કરતા રહો, જ્યાં સુધી તમને તેની કોઈ જ વાતથી દુઃખ ન થાય.
પ્રકાશ અંધકારને દૂર કરે છે, તેમ હકારાત્મક વિચારો નકારાત્મક વિચારોને દૂર કરીને આપણામાં આનંદ અને સુખ તાણી લાવે છે
આ અવેજ (સબસ્ટિટ્યૂટ)નો નિયમ છે. તમારી કલ્પના તમને દારૂની બોતલ સુધી લઈ ગઈ. હવે તેને પોતાને સ્વતંત્રતા અને માનસિક શાંતિ તરફ લઈ જવા દો. તમને થોડી તકલીફ પડશે, પણ આ બધું સર્જનાત્મક ઉદ્દેશ્ય માટે થશે. તમે એને એ જ રીતે સહન કરશો, જે રીતે મા પ્રસવપીડા સહન કરે છે અને તમે મનમાં એક વિચારને બાળકની જેમ જન્મ આપો છો. તમારું અર્ધજાગ્રત મન સંયમને જન્મ આપે છે.
સતત કાર્યશીલ રહો, જ્યાં સુધી અંધકાર દૂર ન થઈ જાય અને નવા સૂર્યનો ઉદય ન થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો.
તમારી પાસે પસંદગીની સ્વતંત્રતા છે. તમે સારી કે નરસી ટેવની પસંદગી કરી શકો છો.
તમારી સફળતા કે ઉપલબ્ધિમાં જો કોઈ એકમાત્ર વિઘ્નરૂપ હોય તો તે છે, તમારી માનસિક છબી કે વિચાર.
જ્યારે તમારું ધ્યાન ભટકે ત્યારે સારા કે ખરાબ વિચારમાંથી તમારા મનને પાછું વાળો. આવી ટેવ વિકસાવો. આમ કરવાની ઘટનાને અનુશાસન કહેવાય છે.
માણસની પાછળ જે દુર્ભાગ્ય પડે છે, તે છે તેનો ભય અને ચિંતાનો વિચાર.
બીજા લોકોની વાતો તમને ત્યાં સુધી નુકસાન નથી પહોંચાડી શકતી જ્યાં સુધી તમારી વૈચારિક કે માનસિક સંમતિ ન હોય. તમારી જાતને તમારાં લક્ષ્યો સાથે એકાકાર કરો. તમારા બ્રહ્માંડના તમે જ એકમાત્ર ચિંતક છો.