વાર્તાઓ એવી હોવી જોઈએ કે વાંચવી ગમે, વાર્તાઓમાં વસી જવું ગમે. દાદા ઈતિહાસ ભણાવતા, મને ઘણી વાર્તાઓ પણ કહેતા. એમાંથી એક હતી પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા. ઘણા લોકો, ઘણી વાતો, કોઈ કહે એને ઘોરીને ૧૭ વાર હરાવ્યો, કોઈ કહે ૨૨, તો કોઈ કહે બે. સત્ય જે પણ હોય, પણ બેથી તો વધારે જ હશે. આપણે લોકોએ જ્યાં ભૂલ કરી તે હતી આપણી દરિયાદિલી. ઘણીવાર હરાવીને પણ પૃથ્વીરાજે ઘોરીને જવા દીધો પણ પહેલો મોકો મળતાં જ ઘોરીએ પૃથ્વીરાજને મારી નાખ્યો. હવે પૃથ્વીરાજને કઈ રીતે માર્યો, તેમાં પણ લોકો જુદી જુદી વાતો કરે છે. હું તમને મારી વ...
Published on October 24, 2020 23:48