ધ રામબાઈની સફરે નીકળતાં પહેલાં…

વ્હાલાં વાચકોને…



તમને ‘ધ રામબાઈ’ આવતા શુક્રવારે કુરિયર થશે. આજે થયું કે તમે વાર્તા વાંચો એ પહેલાં અમુક ભલામણ કરી દઈએ:



1) નવલકથામાં 337 પેજ છે! પણ ગભરાશો નહીં. વાર્તા ખુબ લાંબી નથી, માત્ર પેજ વધું છે. વિસ્તારે સમજાવું : ધ રામબાઈની અંદર ટોટલ 70 ચિત્રો છે. આ ચિત્રો ઘણી જગ્યા રોકે. બીજું કે વાર્તા ટોટલ 88 નાનકડાં ચેપ્ટરમાં વહેંચાયેલી છે. દરેક ચેપ્ટર પૂરું થાય પછી પાછળ કોરી જગ્યા પડી રહે. નવું ચેપ્ટર નવા પેજ પર હોય. આવા બધાં ફેક્ટરને લીધે આખી નવલકથા જે માત્ર 80000 શબ્દોની છે એ જાડી લાગે. (આની સાપેક્ષે વિશ્વમાનવ 1,08,000 શબ્દો, અને નોર્થપોલ 96000 શબ્દોની છે)



2) સામાન્ય રીતે માનવ-સહજ સ્વભાવ મુજબ આપણે સાયકોલોજીકલી ઘડાયેલાં છીએ કે ‘જ્યારે આપણે કશુંક સમાપ્ત કરીએ’ ત્યારે તમારી એ યાત્રા કે અનુભવ વિષે બીજાને શેર કરવાનું મન થાય. શેરિંગ એક સાહજિક જરૂરિયાત છે.
‘ધ રામબાઈ’ વાંચો પછી તમને કેવી લાગી એ સૌને જરૂરથી કહેજો, પરંતુ કોઈ સ્પોઈલર વિના.
3 likes ·   •  0 comments  •  flag
Share on Twitter
Published on June 08, 2020 22:13
No comments have been added yet.