સ્વાર્થ અને ત્યાગ વચ્ચેનો સંબંધ

કોઇપણ નિહીત સ્વાર્થ વગર કંઇપણ કામ કરવું એ માનવજાતી માટે શું અસંભવ છે..? અને એ જ સ્વાર્થની પ્રાપ્તી સાથે પોતાની મરજી મુજબ જીવવું શક્ય છે..? માણસનો સ્વાર્થ અને તેની પસંદગીની જીંદગી તેને હંમેશા બે અલગ દિશામાં જ જોવા મળશે..! હવે કેમ..? તો ચાલો સમજીએ..!


સ્વાર્થ અને પસંદગીની જીંદગી વચ્ચેનો સંબંધ સમજીએ એ પહેલા સ્વાર્થ માટેનો મારો અભીપ્રાય તમારી સમક્ષ મુકવા માંગું છું..! સ્વાર્થની જોડણી થાય છે સ્વ+અર્થ, પોતાના અર્થે કરેલું કાર્ય, કોઇ વ્યક્તિ માટે, કોઇ વ્યક્તીના ચહેરા પરની ખુશી જ સૌથી વધારે મહત્વની હોય છે, તો તેની ખુશી મેળવવી એ તેનો સ્વાર્થ થયો, કોઇ માટે પૈસા જ મહત્વની વસ્તુ છે, તો પૈસા કમાવા એ તેનો સ્વાર્થ થયો..! કોઇ માણસ માટે સર્વોચ્ચ સત્તા પર પહોચવું મહત્વનું છે, તો એ તેનો સ્વાર્થ થયો..! તો તમામ કાર્યો પાછળ કોઇ સ્વાર્થ તો હોય જ છે, પણ તેનો પોતાનો સ્વાર્થ સાધવાનો રસ્તો, માણસને સ્વાર્થી કે મતલબી અથવા નિસ્વાર્થી કે સાધું માણસ બનાવે છે..!


મેં એવા ઘણા પ્રેમીઓ જોયા છે, જેમણે પોતાની પ્રેમીકા કે પ્રેમીને ખુશ કરવા, તેમને જોઇતી જીંદગી આપવા માટે ઘણા બલીદાનો આપ્યા હોય છે, અને પોતે એક મહાન પ્રેમી કે પ્રેમીકા હોવાનો દાવો કરતાં હોય છે..! પણ સત્ય ત્યારે બહાર આવે છે જ્યારે કોઇ એક પક્ષ દગો આપે..! જો સામેનો પક્ષ તેને ખુલ્લા દિલે સ્વિકારી અને તેની જ ખુશી માટે પ્રાર્થના કરી શકે, તો તેને હું સાચો નિસ્વાર્થ પ્રેમ કહીશ કારણ કે તેનો સાચો સ્વાર્થ સામે વાળાની ખુશીમાં છે નહી કે તેને ગમેતેમ કરીને પામવામાં..! બાકી સ્વાર્થી માણસ પ્રેમમાં દગો મળ્યાં બાદ કડવો અને રઘવાયો થઇ જતો હોય છે અને જો એ માણસ ડરપોક હોય તો અંદરને અંદર ધુંધવાતો કરતો હોય છે..!


તો જે વ્યક્તિ પોતાનું નુકશાન કરી સામેના પક્ષનું હિત ઇચ્છે છે કે સામા પક્ષના સ્વાર્થની પુર્તી કરી શકે છે તે વ્યક્તિને નિસ્વાર્થ કે ત્યાગીની કક્ષામાં મુકી શકાય બાકી, સ્વાર્થી માણસ ગમે તેમ કરીને પણ પોતાના હિતની રક્ષા જ કરતો હોય છે અને જે સ્વાર્થી માણસ પોતાના હિતની રક્ષા નથી કરી શકતો તે માણસોનો સ્વાભાવ નકારાત્મકતાની ચાદર ઓઢી લે છે..! તેના મોઢાંમાંથી તમે કદી સારી વાત નહી સાંભળી શકો..!


તમને નીચેનાં ઉદાહરણમાંથી એ જવાબ પણ મળી જશે કે શા માટે માણસ પોતાની પસંદગીની જીંદગી નથી જીવી શકતો. ચલો થોડું ઉંડાણમાં જઈએ, ઓફિસમાં કોઇ કર્મચારીને એક પદ પર પહોંચવાની ઇચ્છા છે, જેને આપણે તેનો સ્વાર્થ કહીંશું..! હવે એ પદ તેને એમજ નથી મળવાનું..! તે મેળવવા માટે મોટાભાગે ત્રણ રસ્તા હોઇ શકે, એક મહેનતનો, બીજો ચાલાકીનો, અને ત્રીજો સમાધાન.


જે તે વ્યક્તિએ એ પદ મેળવવા પોતાની કોઇ ગમતી વસ્તુંનો ત્યાગ કરવો જ પડ્યો હશે..! કોઇને પોતાની ઉંઘનો ત્યાગ કરવો પડ્યો હશે, તો કોઇએ પોતાની વ્યક્તિગત જીંદગીનો, તો કોઇને પોતાની ઇમાદારીનો, તો કોઇને પોતાના સ્વમાનનો..! કોઇને કોઇ રિતે તે વ્યક્તિ એવી કોઇક વસ્તું કે વ્યક્તિ કે શોખનો ભોગ આ માટે આપતો જ હોય છે, પણ માણસના વ્યક્તિત્વની ઓળખ તેણે લીધેલા રસ્તા પર આધારીત છે, જો પોતાના સ્વાર્થ માટે બિજાનું નુકશાન કરે તો તે સ્વાર્થી કે મતલબી છે, બીજાને નુકશાન પહોચાડ્યા વગર પોતાના સ્વાર્થને સાધનાર વ્યક્તિ મોટાભાગે મહેનતી અને નિસ્વાર્થી હોય છે તો ત્રીજી પરિસ્થીતીમાં બંન્ને પક્ષે નુકશાન વહેંચનારા વ્યક્તિ હંમેશા વ્યવહારું હોય છે.


સમાજમાં વ્યવહારું વ્યક્તિઓની સંખ્યા સૌથી વધું છે, એવું મારું માનવું છે, જ્યારે બીજા નંબર પર સ્વાર્થી અને સૌથી ઓછા મહેનતી લોકો છે..!


પણ અહીં હસ્યાસ્પદ વાત એ છે કે સ્વાર્થી માણસો જ વધારે સહન કરતાં હોય છે અથવા તેમને સહન કરવું પડતું હોય છે..! કેમ..? કોઇપણ સ્વાર્થને સાધવા માટે હંમેશા તમારી મનગમતી વસ્તુંનો ભોગ આપવો પડતો હોય છે..! એવું સમજો કે કોઇ બાધા લીધા જેવું કામ છે, કોઇ મનગમતી વસ્તું મેળવવા માટે બીજી મનગમતી વસ્તુંનો ત્યાંગ નહી પણ અહી ભોગ આપવો પડે છે..! કારણ કે મહેનતું લોકો કે સમજદાર લોકો એ સમજતાં હોય છે કે બે વસ્તું તમને કદી એકસાથે ના મળે, તમારે સફળતાં જોઇએ છે તો આળસ ત્યાગવી પડે..! તમારે પ્રેમ પામવો છે..? તો વ્યક્તિગત મહેચ્છા ત્યાગવી પડે..!!


ત્યાગી માણસ કદી તેણે ત્યાગેલી વસ્તું માટે અફસોસ નથી કરતો, તે બસ ત્યાગી દે છે. પછી ભલે તેનો ત્યાગ તેને જે તેને જોઇએ છે એ મેળવી આપે કે ના આપે..! તેના વર્તનમાં એક સંતોષ હોય છે કે તેને ગમતાં લક્ષ માટે તેણે પુરતાં પ્રયત્નો કર્યા છે અને હજી એ જ પ્રયત્નો ચાલું રહેશે..! જ્યારે સ્વાર્થી માણસ પોતાની ઇચ્છાઓનું દમન કરે છે, પોતાના મનને મારે છે, એ કાર્ય પરાણે કરે છે, જે તેને નથી ગમતું, અને પછી પણ જો પોતાના સ્વાર્થની પુર્તી ના થાય તો તે અકળાઇ ઉઠે છે..! અને પોતે ત્યાંગવી પડેલી વસ્તું માટે અફસોસ વ્યક્ત કરે છે કે પસ્તાય છે..!


તો જ્યારે તમે કોઇ કામ પરાણે કરો છો..! ત્યારે એ વાત મગજમાં જરૂર રાખજો કે તમે તમારો કોઇ સ્વાર્થ સાધવા તમારી ઇચ્છાઓનું દમન કરી રહ્યાં છો, અને જો કોઇ વસ્તું ત્યાગતી વખતે તમને ભારના લાગે તો સમજવાનું કે તમારો ઇરાદો શુંધ્ધ છે..! બાકી વ્યવહારું થવું પણ ખોટું નથી..!


અત્યારનાં સમયમાં પ્રેમ, મિત્રતા અને લોહીના સંબંધો વ્યવહારીતાના સિંધ્ધાંત પર જ ટકેલા છે..! હું તમને ત્યાં સુધી જ પ્રેમ કરીશ, જ્યાં સુધી તમે કરશો..! જન્મોજન્મ પ્રેમ કરવાનાં વચનો નાનકડા વિશ્વાસઘાતથી એ જ ક્ષણે ભુલાઇ જવાય છે..! હાં મે હજી એવાં મિત્રો જોયા છે, જે પોતાના મિત્રોના દગા બાદ પણ લાગણી નજરથી પછી પણ જોતાં હોય છે પણ આવાં સાચા મિત્રોની આ સમયમાં ખુબજ તાણ છે..! અને ભાઇઓ વચ્ચેના ઝઘડા માટે મારે કશું લખવાની જરૂર નહી પડે..!


તમે જરાય ખોટા નથી જો તમે એવી અપેક્ષા રાખો કે સામે વાળો પણ તમને એટલો જ પ્રેમ કરે, જેટલો પ્રેમ તમે એને કરો છો…! પણ એ વાત જરાં પણ બરાબર નથી કે તમારા વ્યવહારું પ્રેમને તમે શુંધ્ધ પ્રેમનું નામ આપી સામેની વ્યક્તિને બદનામ કરો..! કદાચ એવું પણ બને કે જે તક તેને મળી, જેના કારણે તેણે તમને દગો કર્યો, એ જ તક તમને મળી હોત, તો તમે પણ કદાચ એ જ કરત જે તેણે કર્યુ..!


વ્યવહારુ સ્વભાવ કાર્યાલયો અથવા વ્યવસાય પુરતો રહે તો જીવનમાં માનસિક તણાવ ઓછો રહેશે પણ જ્યારે આ વ્યવહારીતા તમે લગ્નજીવનમાં, મિત્રતામાં, સંબંધોમાં ભેળવશો ત્યારે તમને પિડા સિવાય કશું જ નહી મળે કારણે આ સંબંધો એવા છે જ્યાં તમારાં સ્વાર્થ સાથે તમારી લાગણીઓ પણ જોડાયેલી હશે, તમારો વિશ્વાસ અને સ્વમાન જોડાયેલું હશે અને જ્યારે વિશ્વાસ પર ઘાત લાગે ત્યારે પીડા સહન કરવી ખુબજ કપરી છે..!


અંતે એટલું કહીશ કે તમે સમાજ સામે તમારું વ્યક્તિત્વ અલગ બતાવી શકો છો, તમારો સાચો ચહેરો છુપાવી શકો છો, પણ જ્યારે તમે અરિસામાં જુઓ તો સત્ય સ્વિકારવાની હિંમ્મત તમારામાં હોવી જોઇએ કે તમે વ્યવહારું માણસ છો કે ચાલાક કે મતલબી કે પછી સાચે જ તમારા ઇરાદા શુંધ્ધ છે..! જે તમે નથી તેની અપેક્ષા તમારે સામેના પક્ષે પણ ના રાખવી જોઇએ..!

 •  0 comments  •  flag
Share on Twitter
Published on August 18, 2018 12:03
No comments have been added yet.