રામેશ્વરમ અને ધનુષ્યકોડીની જાત્રા !
હમણાં જ થોડા દિવસ પહેલા હું મદુરાઈ, રામેશ્વરમ, અને ધનુષ્યકોડી જઈ આવ્યો. અજીબ જગ્યાઓ.
અહીં મેં ફોટોસ્ટોરી લખી છે. ફોટો વધું છે એટલે વાર્તા લાંબી કરતો નથી.
[image error]બેંગ્લોરથી રાત્રે બેઠો. સવારે આવ્યું મદુરાઈ મંદિર. મંદિરમાં જઈને બે કલાક એમ જ બેઠા રહેવાની મજા આવી.
[image error]મંદિર બહાર આવીને ઈડલી-સંભારનો નાસ્તો કર્યો, અને મંદિરમાં પડેલા ભભૂત, ચંદન, અને કંકુનો ચાંદલો કરીને બસ-સ્ટેશન પાછા. મદુરાઈ બસસ્ટેન્ડથી રામેશ્વર જવાની બસ મળી ગઈ. ગરમી ખુબ હતી. બસમાં હારુકી મુરાકામીની બુક વાંચ્યે રાખી. ચાર કલાક પછી રામેશ્વર આવવાનું ચાલુ થયું . મોબાઈલમાં ગૂગલ મેપ ખોલ્યો.
[image error]અહાહા ! હું ભારતના અંતિમ બિંદુ પર જઈ રહ્યો હતો ! એકદમ છેડો. જ્યાંથી શ્રીલંકા માત્ર 26 કિલોમીટર દુર છે એવી જગ્યા પર. એ જગ્યાનું નામ છે ધનુષકોડી. રામેશ્વરમ તો નાનકડું સિટી જેવું છે, હોટેલો – મંદિર – માણસો. પરંતુ રામેશ્વરમથી ત્રીસેક કિલોમીટર દુર બંને બાજુ દરિયો છે એવી જગ્યા, જ્યાં જમીન પૂરી થાય છે એ ધનુષકોડી.
[image error]રામેશ્વરમ જતી સમયે બસમાંથી આ ટ્રેનનો રસ્તો જોયો. દરિયા વચ્ચે! આ પુલ વર્લ્ડના સૌથી ખતરનાક પુલો માંથી એક ગણાય છે. યુ-ટ્યુબ પર આનો વિડીયો પણ છે.
[image error]
[image error]અહાહા ! દરિયાકિનારે…હમ અકેલે…ઘર બનાયેંગે…ઔર ઉસ ઘર કે બહાર લીખ દેંગે “સબ માયા હે…સબ માયા હે !”
[image error]
[image error]મંદિર
[image error]રામેશ્વરમનો દરિયો જેના કિનારે મંદિર આવેલું છે. આ શિવલિંગ બાર જ્યોતિર્લીંગ માંથી એક ગણાય છે.
[image error]હાહા…
[image error]દરિયા કિનારે એક મોટી આગ પેટાવીને ભસ્મ બનાવવામાં આવી રહી હતી. પ્રસાદીની ભસ્મ
[image error]મોડી રાત સુધી દરિયાકિનારે બેસીને પછી ઉપડ્યો હોટેલ તરફ.
રામેશ્વરમમાં જ રાત રોકાઈને બીજે દિવસે વહેલી સવારે હું ઉપડ્યો ધનુષકોટી તરફ. એક એવી જગ્યા જે જીવનભર ભૂલી ન શકાય.
ધનુષકોડીને લોકો Abandoned Town કહે છે. ભૂતિયું શહેર પણ કહે છે. આ શહેર વર્ષ 1964 માં રામેશ્વર પર જે સુનામી આવ્યો એમાં તારાજ તજી ગયું. કશું જ બચ્યું નહી.
1964 પછી છેલ્લા ત્રીસ વર્ષ સુધી કોઈ માણસ દરિયા નજીક જવાનું ખાસ સાહસ પણ કરતુ નહી. થોડા વર્ષોથી જ સરકારે રામેશ્વરમથી ધનુષકોડી જવાનો રસ્તો બનાવ્યો.
[image error]બંને બાજુ દરિયાની રેતી વચ્ચે રસ્તો બનાવવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ પણ દરિયો છે. અજીબ હતું !
[image error]ધનુષ્યકોડી જતી સમયે રસ્તાની જમણી બાજુ આવે એ છે : હિન્દ મહાસાગર (જેમાં 1964 માં સુનામી આવેલો અને ૧૦૦૦ માણસો ભરેલું ગામ આખું તારાજ થયેલું. ડૂબી ગયેલું )
[image error]
[image error]ધનુષ્યકોડીના દરિયાના છેવાડે જતા પહેલા રસ્તામાં આવતા 1964માં તારાજ થયેલા ગામના વધેલા મકાન, જેને કોઈએ સ્પર્શ પણ નથી કર્યો.
[image error]અરે રે…
[image error] [image error] [image error]
[image error]આ ભૂતિયા મકાનોમાં આજકાલ અમુક માછીમારો રહે છે જેમની પોસે શહેરમાં મકાનો ન હોય એવા…પણ હા…દિવસે જ. રાત્રે અહિયાં કોઈ હોતું નથી. કહે છે કે જુના માણસો જે મરી ગયેલા એ ભૂત થાય છે. વેલ…એક હજારથી વધુ માણસો જો ભૂત થઈને આવ્યા હોય તો શું થાય એ કલ્પના કરો
Published on October 09, 2017 21:03
No comments have been added yet.


