સ્ત્રી અને પૂરુષ એકસમાન નથી..?

21મી સદીનો સૌથી વધું ચર્ચાતો પ્રશ્ન અને સ્ત્રીજાતીની સતત અપાતી લડત કે અમે પૂરુષોની સમોવડી છીએ..! અને પૂરુષોની સતત એ મથામણ કે પૂરુષો વગર કદી સ્ત્રીનું અસ્તિત્વ જ ના હોઇ શકે..! પણ આમાં સાચું કોણ..?


જો આપણે ભુતકાળ પર નજર નાખીએ તો એ સ્પષ્ટ દેખાશે કે પૂરુષોએ હમેંશા સ્ત્રી પર શાશન કર્યુ છે અને સ્ત્રી હંમેશા પીડાતી આવી છે, સમય પસાર થતો રહ્યો, આજનો સમય આવતા આવતા સ્ત્રીઓમાં જાગ્રુતતા વધી અને તે પોતાના હકો માટે લડતી થઈ..! પૂરુષોથી ખભાથી ખભો મેળવી કામ કરતી થઈ..! જર્મની જેવા દેશમાં તો તે દેશ ચલાવતી પણ થઈ, તો શું સ્ત્રી અને પૂરુષ એકસમાન છે..? તો હું કહીશ ના..!


મને સિખડાવવામાં આવેલા ગણીતના એક નિયમ મુજબ જ્યારે બે વસ્તું કે ઓબ્જેક્ટની કિંમત કે વેલ્યું એકસરખી હોય ત્યારે આપણે તેમને એકબીજાના અવેજમાં લઈ શકિએ..! જેમકે X=50, Y=50 then X=Y તો આપણે આ જ નિયમ સ્ત્રી-પૂરુષમાં પણ લાગું પાડી શકીએ..! જો બંન્ને સરખા હોય તો આપણે તેમને એકબીજાના અવેજમાં વાપરી શકીએ..! ચલો ને એકબીજાના અવેજમાં શુંકામ? ગમે તે એક ને જ પસંદ કરી લઈએ એટલે ગુંચવણ જ પુરી થાય..! એટલે દુનિયામાં પૂરુષ અને સ્ત્રી ગમે તે એક હોય તો ચાલે..? કારણ કે બન્ને એકસમાન જ છે..!


તમે હવે મારી વાતનો વિરોધ કરશો..! કે હું તમને ખોટા માર્ગે દોરી રહ્યો છું..! પણ ના મુદ્દો અહી શબ્દો અને આપણી માનસીકતાનો  છે…! હું કદી એવું નહી કહું કે સ્ત્રી-પૂરુષ એક સમાન છે પણ હું એમ જરૂર કહીશ કે બંન્ને એકબીજાના પુરક છે..! સ્ત્રી-પૂરુષ એકસમાન હોવા અને એકબીજાના પુરક હોવા બંન્ને વિધાન ઘણું કહી જાય છે…! છતાં આપણે આ જ વાતના ઉંડાણમાં જઈએ.


સ્ત્રી અને પૂરુષ બંન્નેમાં એકબીજાથી અલગ ગુણધર્મો છે..! પૂરુષ પાસે શારીરિક શક્તિ વધારે હોય છે તો સ્ત્રી પાસે આંતરીક શક્તિ વધારે હોય છે, પૂરુષ ભાવના સમજવામાં થોડા બુડથલ હોય છે તો સ્ત્રીઓનો વિષય જ ભાવનાઓને સમજવાનો હોય છે..! પૂરુષો માર સહન કરી શકે છે તો સ્ત્રીઓ પીડા સહન કરી શકે છે..! પૂરુષો કમાઇ શકે છે તો સ્ત્રી એ પૈસા બચાવી શકે છે..! પૂરુષોનો સ્વભાવ કડક હોય છે જ્યારે સ્ત્રીનો સ્વભાવ સોમ્ય હોય છે..! પૂરુષની માનસીકતા વિધ્વંસની  હોય છે, તો સ્ત્રીની માનસીકતા નિર્માણની હોય છે..! પૂરુષની ભાષા યુધ્ધની હોય છે જ્યારે સ્ત્રીની ભાષા પ્રેમની હોય છે..! પૂરુષ પાલક છે તો સ્ત્રી પોષક છે..! પૂરુષ સુર્ય છે તો સ્ત્રી ચંદ્ર છે..! અને આવા ગુણધર્મોને એકબીજાથી અલગ પાડવા જ સ્ત્રીતત્વ કે સ્ત્રીપણું અને પૂરુષત્વ કે પુરુષપણા જેવા શબ્દો આપણે શબ્દકોષમાં મુક્યા હશે..!


એક પ્રશ્ન ઘણી વખત મારી સામે આવે છે કે લગ્ન બાદ હંમેશા સ્ત્રીને જ કેમ ઘર છોડવાનું..? તો અહીં સ્ત્રીનો ધર્મ નિર્માણનો છે, એટલે સ્ત્રીએ નવા ઘરના નિર્માણ માટે પોતાના ઘરનો ત્યાગ કરવો પડે છે..! અને પૂરુષને પોતાના ધરના નિર્માણ માટે સ્ત્રી પર આધાર રાખવો પડે છે પણ ઘર નિર્માણની સામગ્રી માટે સ્ત્રીને પૂરુષ પર આધાર રાખવો પડે છે..! સંતાનના જન્મ માટે પણ ગમે તેટલા શક્તિશાળી પૂરુષને એક સ્ત્રીની જરૂર પડે છે અને ગમે તેટલી શક્તિશાળી  સ્ત્રીને એક પૂરુષની..! ઘણી વખત એ પ્રશ્ન પણ સામે આવે છે કે કોઇ બ્રહ્મચારી પૂરુષને સ્ત્રીની જરૂર હોય..? તો હા..! પણ સ્ત્રીનું સ્વરૂપ હમેંશા પત્ની કે પ્રેયસી જ હોય એવું જરૂરી નથી, તે માતા પણ હોઇ શકે અને બહેન પણ હોઇ શકે..! મહાભારતના એક મહાન યોધ્ધા ભીષ્મ આ વાતની સાક્ષી પુરે છે, તેમને જ્યારે એકલતા લાગતી, મુંઝવણ અનુભવતા ત્યારે તે પોતાની માતા ગંગા પાસે જ જતાં..! તેમની સાથે વાત કર્યા બાદ તેમને આંતરીક શાંતીનો અનુભવ થતો.


સ્ત્રી પૂરુષ એકબીજાના પુરુક છે એ વાત સાબીત કરવા માટે ભગવાન શિવે અર્ધનારેશ્વરનો અવતાર લીધેલો..! અહીં એ વાત સ્પષ્ટ છે કે પાર્વતી તેમના સમોવડીયા નથી પણ તેમનો અડધો ભાગ છે..! પૂરુષોને આ વાત સમજવા જેવી છે કે પૂરુષ છે તો સ્ત્રીઓ છે એવું નથી..! પણ બંન્ને છે એટલે જ બંન્નેનું અસ્તિત્વ છે..!


પણ હવે આ અસ્તિત્વની લડાઇમાં સ્ત્રીત્વ અને પૂરુષત્વના ગુણધર્મોનું કોકટેલ થઈ ચુક્યું છે..! કારણ કે અત્યારે વાત પોતાના હકો માટે લડવાની નથી, પણ અત્યારે વાત એ સમાજ સાથે બદલો લેવાની છે જેણે સ્ત્રીને અત્યારે સુધી પોતાના પગની જુતી જ સમજી છે અને કચડ્યે રાખી છે..! એટલે હવે સ્ત્રીઓ એ તમામ મદભર્યા પૂરુષોને સમજાવવા નીકળી છે કે અમે તમારાથી ઉતરતી નથી. અને આનું સૌથી મોટું નુકશાન પુરા સમાજને ગયું છે..! સ્ત્રીના એ મુળભુત લક્ષણો હવે લુપ્ત થવાની અણી પર છે પછી માત્ર નવલકથાઓમાં જ સ્ત્રીત્વ શું હતું, તેવી કોઇ વાત જોવા મળશે બાકી સમય જતાં સ્ત્રી અને પૂરુષ એકસરખા અને એક ગુણધર્મવાળા બની ગયા હશે, માત્ર શારિરીક ઢાંચામાં જ ફરક હશે..!


હું અહી એ સ્ત્રી-પૂરુષોની વાત કરી રહ્યો છું જે એકબીજા સાથે હરિફાઇમાં ઉતરેલા છે કે કોણ ચડીયાતું..! અને આ એક બિમારી છે જે ખુબજ ઝડપથી ફેલાઇ રહી છે..! એક સ્ત્રી પોષક મટી પાલક બનવા બહાર નોકરી કે ધંધો કરે છે. નિર્માણનું કાર્ય છોડી યુધ્ધના મેદાને ચડે છે..! સાહિત્ય મુકી ને દંડ હાથમાં પકડે છે..! ઘર મુકી દેશ ચલાવે છે..!


તો તમે કહેશો કે આમાં ખોટું શું છે..! તેમની પાસે પ્રતિભા છે, તો એ કરે છે. પણ અહીં મુદ્દો પ્રતિભાનો નથી, અહી મુદ્દો એકબીજા સાથે અસ્તિત્વ ટકાવી રાખવાનો છે અને આમાં હું સ્ત્રીને દોષી નથી માનતો પણ આ પેલી સ્પ્રીંગ જેવી વાત છે કે જેમ સ્પ્રીંગ તમે વધારે દબાવો તેમ તે વધારે જોરથી ઉછળે અને એ જ રિતે સદીઓથી દબાવવામાં આવેલી સ્ત્રીઓ અત્યારે પોતાની સાથે થયેલા અપમાનનો બદલો લેવા બહાર નીકળી પડી છે..!


આ ફરીફાઇમાં નુકશાન ભવિષ્યની પેઢીને છે..! જે એવી જ સ્ત્રીઓને માન આપશે જે તેમની સમોવડી ઉભી હોય..! અત્યારે હવે સમય પાક્યો છે કે પૂરુષ અને સ્ત્રી એકબીજા અસ્તિત્વનો સ્વિકાર કરે..! એકબીજાને આદર આપે..! અહીં હું એ કહેતા અચકાશ નહી કે પહેલું પગલું પૂરુષ ભરે અને સ્વિકારે કે સ્ત્રી વગર તેનું અસ્તિત્વ અસંભવ છે અને સ્ત્રી પોતાના સ્વભાવ પ્રમાણે અભીમાની પૂરુષને માફ કરે અને આ લડાઇનો અંત લાવે.! અહીં લડાઇનો અંત એટલે અત્યારના જીવન-ધોરણમાં ધરખમ ફેરફારો કરવા એવો નથી પણ માનસીકતામાં ફેરફાર લાવવો એ છે..! બંન્ને પોતપોતાની જવાબદારી સમજતા હશે તો હાલની પરિસ્થીતીમાં પણ સુખેથી જીવી શકાશે..! વાત એટલી જ છે કે એકબીજાના પુરક બનો..!

 •  0 comments  •  flag
Share on Twitter
Published on March 23, 2017 19:54
No comments have been added yet.