કડવું સત્ય..!

નિષ્ફળ જાય છે સઘળા પ્રયત્નો મારાં,

દોરવાયો છું ખોટા માર્ગે, એ જ કારણ હશે..!


આધ્યાત્મનો ખપ છે મને,

અને કંચનનો કોઇ પર્યાય નથી,


હું સંન્યાસી નથી, કે છોડી દવ બધું,

મોહમાયાંમાં અટવાવું પણ ગમતું નથી.


પ્રેમ તો છે મારી આજુંબાજું ઘણો બધો,

પણ, કુત્રીમ પ્રેમનો મને કોઇ ખપ નથી,


કંટાળ્યો છું હું આ બેવડા ઘોરણોથી,

પણ, સ્વિકાર્યા સિવાય છુટકો નથી,


ખુશ થવાની એક જ ચાવી છે.. જીજ્ઞેશ..

સમર્પણનો કોઇ વિકલ્પ નથી..!

 •  0 comments  •  flag
Share on Twitter
Published on September 12, 2017 20:40
No comments have been added yet.