ગુણવંત શાહ > Quotes > Quote > Ratnakar liked it

ગુણવંત શાહ
“આપણો ધર્મ ઘોંઘાટમૂલક છે. આપણી લેવડદેવડને આપણે માર્કેટિંગની દીક્ષા આપી છે. આપણી વ્યાજપ્રીતિ એટલી તો વધી ગઈ છે કે જીવનમાં કશુંક નિર્વ્યાજ (કપટરહિત, સાલસ, સરળ) પણ હોઈ શકે તેવી અનુભૂતિ અલોપ થવા માંડે એવી સ્વાર્થપરાયણ જીવનશૈલી નોર્મલ થતી જાય છે. ભોળપણથી શોભતી કોઈ નવોઢા કે મુગ્ધા મૂર્ખમાં ખપે તેવી સામાજિક આબોહવામાં ગોપીઓના કપટમુક્ત, સ્વાર્થમુક્ત, ગણતરીમુક્ત અને સમર્પણયુક્ત પ્રેમસંબંધની કલ્પના કરવા જેટલી પણ લાયકાત આપણી પાસે બચી છે ખરી?”
Gunvant Shah, Krushna Lila Madhur Madhur

No comments have been added yet.