આપણે જે પણ કરીએ, તે ઉત્સવની જેમ કરવું જોઈએ. આપણે ‘મારે આ કરવું જ પડશે’ કે ‘મારે કરવું જોઈએ’ વૃત્તિને ‘મારે આ કરવું જ છે’ની વૃત્તિમાં પલટાવી જોઈએ. આપણું દરેક કાર્ય આપણું ગમતું બનાવીને તેને તૃપ્તિ અને આનંદથી છલકાવી દેવાય. જો કોઈ કાર્ય કરવાનું જ હોય તો તેને ઉત્સવની જેમ ઉજવીને માણવું જોઈએ.