મને આત્મહત્યાના બે સંભવિત કિસ્સા યાદ છે. બંને લગભગ સરખા હતા. બંને માણસો કહેતા હતા, ‘હું આત્મહત્યા કરી લઈશ.’ ‘શું કામ કરવી છે આત્મહત્યા?’ એને સવાલ પુછાય તો એ જવાબ આપતો, ‘જીવનમાં હવે શું રહ્યું છે કે હું જીવું?’ આ બંનેને કઈ રીતે સમજાવવા કે જીવનની એમની પાસે કશી અપેક્ષા છે. ભવિષ્યમાં એમની પાસે કશી અપેક્ષા છે. આ મુદ્દો ખૂબ મહત્ત્વનો હતો. અમને ખબર પડી કે એમની પાસે જીવનમાં અપેક્ષા રાખવા જેવું કંઈક હતું તો ખરું જ. એક જણને એક બાળક હતું જે વિદેશમાં પિતાના આવવાની રાહ જોતું ઊછરી રહ્યું હતું. બીજો કેદી વૈજ્ઞાનિક હતો. એણે પોતાના જ્ઞાનના વિષયના ઘણાં પુસ્તકો લખ્યાં હતાં, પણ એ હજી અધૂરાં હતાં. એ પૂરાં કરવાનાં
...more