રમૂજ એ ખુદના અસ્તિત્વને ટકાવી રાખવાના સંઘર્ષમાં, ટકી રહેવા માટેનું આત્માનું એક શસ્ત્ર છે. રમૂજવૃત્તિ વ્યક્તિને પરિસ્થિતિ પરત્વે અળગાપણું આપે છે, કોઈ પણ પરિસ્થિતિથી સહેજ ઉપર ઊઠવાની ક્ષમતા આપે છે. ભલે થોડી ક્ષણો માટે અને આ અળગાપણું, આ ક્ષમતા બીજી કોઈ રીતે મળતી નથી.