More on this book
Community
Kindle Notes & Highlights
by
Robin Sharma
Read between
August 24, 2018 - February 10, 2019
જીવન પાસેથી કંઈક વધારે મેળવવાની અપેક્ષા હોય તો તમારે પણ જીવનમાં કંઈક વિશેષ બનવાની જરૂર છે.
એમર્સનનું અવતરણ પણ બહુ સુંદર છેઃ “જનમતના પગલે ચાલવું એ બહુ સહેલું છે. એકાંતમાં પોતાની મરજી અનુસાર ચાલવું એ પણ આસાન છે; પરંતુ મહાન વ્યક્તિ એ છે જે ટોળાંમાં માણસોની વચ્ચે રહીને પણ મીઠાશપૂર્વક એકાંતની સ્વતંત્રતાને જાળવી રાખે છે.” આ એક અપૂર્વ સિદ્ઘિ છે.
લક્ષ્યો અને લક્ષ્યપ્રાપ્તિ માટે સમયની સ્પષ્ટ લક્ષ્મણરેખાની નોંધ હોય છે
“મનુષ્યની મહાનતા અને ગરિમા મુદ્દાસર જીવન જીવવામાં રહેલી છે.” મોન્ટેઈગ્નએ કેટલું સંક્ષિપ્તમાં પણ સચોટ રીતે જીવનના જ્ઞાનને વ્યક્ત કર્યું છે!
ઉમદા પ્રસંગો અને સારાં કાર્યોનાં સંભારણાં જીવનને અર્થપૂર્ણ બનાવે છે. આ જ્ઞાન જો મનુષ્યને થાય તો તે માલમિલકત ભેગી કરવા કરતાં ઉમદા કાર્યો કરી તેની સુખદ સ્મૃતિની સુવાસ પોતાની પાછળ છોડી જવાનું જ પસંદ કરે!
ડેલ કાર્નેગીએ લખ્યું છે, “માનવસ્વભાવની એક સૌથી મોટી કરુણા હું જાણું છું તે એ છે કે મનુષ્ય સ્વપ્ન અને ચમત્કારની પાછળ દોડવાની ઘેલછામાં ખરું જીવન જીવવાનું જ છોડી દે છે.”
એક સામાન્ય નિયમ છે કે જે વસ્તુ પર મન સતત કેન્દ્રિત રહે તે વસ્તુ ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરે છે.
એરિકા જોંગે કહ્યું છેઃ “તમારી જિંદગી તમારા પોતાના હાથમાં લો અને પછી જુઓ કે શું થાય છે? એક ભયંકર વસ્તુઃ ક્યારેય કોઈને દોષ દેવાનું જ નહિ રહે”
જેમ મોતીને પરોવીને ગળાનો સુંદર હાર બનાવીએ છીએ તેમ સારી રીતે વિતાવેલા સુંદર દિવસોને પરોવીને એક મહાન જીવનરૂપી હાર બને છે.
આજથી દરરોજ થોડી થોડી જવાબદારી વધારતો જઈશ અને એ જવાબદારી નિભાવવા માટે કટિબદ્ઘ રહીશ.
લોકો એવું વિચારતા હોય છે કે જીવનને બદલતાં તો મહિનાઓ અને વર્ષો લાગે છે, પણ હું તમને આદરપૂર્વક જણાવું છું કે તમારી આ વાત સાથે હું બિલકુલ સહમત નથી. જે ક્ષણે તમે હૃદયના ઊંડાણમાંથી સંકલ્પ કરશો કે હું વધારે સારો અને સમર્પિત માનવી બનીશ તે જ ક્ષણે તમારું જીવન બદલાઈ જશે. હા, એ સંકલ્પને દૃઢપણે વળગી રહેવા માટે મહિનાઓ અને વર્ષો સુધી પ્રયત્નો જરૂર કરવા પડે છે.
જેટલી તેમની પાસેથી મેળવવાની તમે અપેક્ષા રાખો તેટલી તેમને આપવાની તમારામાં ક્ષમતા અને તૈયારી હોવા જોઈએ.
જે દિશામાં પવન ફૂંકાય તે તરફ ગતિ કરતાં પાનખરનાં પાંદડાંની જેમ જીવનને વહેવા દેવું એ તો બહુ સહેલું છે, પણ જો તમે એક મહાન જીવનનું નિર્માણ કરવા માગતા હો તો વિશેષ લગન સાથે ઉદ્દેશ્યપૂર્ણ અને વિવેકપૂર્વક જીવન જીવવું જોઇએ અર્થાત્ અન્યની શરતો અને અપેક્ષા પ્રમાણે નહિ, પણ તમારી પોતાની શરતો પ્રમાણેનું જીવન.
ગમે તેવી કપરી પરિસ્થિતિનું પુનર્મૂલ્યાંકન કરી પોતાની પૂરેપૂરી તાકાત વાપરી એ પરિસ્થિતિની વધારે સારી રીતે પુનર્રચના કરી શકવાની મનુષ્યમાં ક્ષમતા રહેલી છે.
પરિસ્થિતિને યથાવત્ સ્વીકારી લેવાની જવાબદારી અને હિંમત દાખવીએ તો જ આપણને ખ્યાલ આવે કે પ્રગતિના માર્ગમાં નડતાં વિઘ્નોને અંગત લાભમાં પલટાવી નાખવાની ક્ષમતા આપણામાં છે.
વિનમ્રતા રાખવી એટલે અન્ય પ્રત્યે આદર અને જીવનમાં હજી ઘણુંબધું શીખવાનું બાકી છે એ વાતનું સતત અનુસંધાન.
ફ્રાંસિસ બેકને કહ્યું છે, “કેટલાંક પુસ્તકોનો કેવળ આસ્વાદ જ લેવાનો હોય છે; બીજાં કેટલાંક પુસ્તકો પર કેવળ આંખ કે નજર જ ફેરવવાની હોય છે, જ્યારે કેટલાંક પુસ્તકો વાંચીને પચાવવાનાં હોય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે કેટલાંક પુસ્તકોના થોડા અંશ જ વાંચવાના હોય છે. કેટલાંક પુસ્તકો પૂરેપૂરાં વાંચવાનાં હોય છે, પણ જિજ્ઞાસાથી નહિ; જ્યારે કેટલાંક પુસ્તકો છેક સુધી પૂરેપૂરા ખંત અને ધ્યાનથી વાંચવાનાં હોય છે.
જો એકની એક ભૂલ તમે વારંવાર દોહરાવતા ન હો અને ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી બોધપાઠ લેવાની તમારામાં સારી સૂઝ-સમજ હોય તો સમજી રાખજો કે તમે સાચા માર્ગે છો.
કેવળ ખપ પૂરતું જ બોલીને માનસિક શક્તિ જાળવી રાખવી એનું નામ શિસ્ત છે
માપસર અને મુદ્દાસર સંભાષણ એ સ્પષ્ટ વિચાર અને ગૂઢ મનની નિશાની છે
ખરૂં મનોરંજન એ છે જે તમારા આંતરિક અગ્નિને પ્રજ્વલિત કરે અને તમારી અંદર રહેલા સર્વોત્તમ અને ઉચ્ચતમ તત્ત્વ સાથે અનુસંધાન કરાવે.
આત્માને શાતા આપે એવી પ્રવૃત્તિ એ જ અસરદાર મનોરંજન કહેવાય.
જીવનમાં આશા અને લગનના સ્વસ્થ સ્તરને ટકાવી રાખવું હોય તો તમારે સતત વધુ ને વધુ ઊંચા લક્ષ્ય નિર્ધાર કરવાં જોઈએ.
રેઈનહોલ્ડ નિબહ્રની શાંતિ પ્રાર્થના કરું છું: “હે પ્રભુ! મારા પર કૃપા કરો કે જે વસ્તુ કે પરિસ્થિતિ ક્યારેય બદલી શકાય એવી ન હોય તેને હું શાંતિથી સ્વીકારી લઉં. મને હિંમત આપો કે જે પરિસ્થિતિ કે વસ્તુને બદલવી જોઇએ તેને હું બદલી શકું અને મને વિવેકબુદ્ઘિ આપો કે આ બે વસ્તુ કે પરિસ્થિતિ વચ્ચેના તફાવતને હું સમજી શકું.’’
મન અને આત્માના જતન માટે થોડો સમય કાઢવાથી યુવાની, ઉત્સાહ, મનનું સંતુલન, અને શરીરમાં સ્ફુર્તિં જળવાઇ રહે છે.

