Jignesh Ahir's Blog, page 2
December 13, 2016
અસંતોષ પણ જીવનમાં જરૂરી છે..?
અસંતોષએ માનવીનો સૌથી મોટો દુશ્મન છે, માણસને સંતોષી થવું જોઇએ, માણસે બીજાની ઇર્ષા ના કરવી જોઇએ, એ બધા પર હું આ આજે ચર્ચા કરવા નથી માંગતો પણ હાં, અસંતોષ જીવનમાં કેટલો જરૂરી છે તેની ચર્ચા મારે જરૂર કરવી છે.
[image error]
અસંતોષ એ સમાજમાનું દુષણ છે કે નહી, એ આપણે પછી સમજીએ પણ પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અસંતોષ છે શું અને તેનું જીવનમાં શું મહત્વ છે..! તો પહેલા એ સમજીએ કે આ અસંતોષ કેટલા પ્રકારનો અથવા કંઇ બાબતનો હોઇ શકે..? ઓછા પગારનો અસંતોષ, સારા મિત્રો અથવા સારું ફેમીલી ના મળ્યાનો અસંતોષ, સારી જોબ ના મળી એનો અસંતોષ, પ્રેમીકા ના મળી તેનો અસંતોષ, ગરીબ હોવાનો અસંતોષ, પ્રખ્યાત ના હોવાનો અસંતોષ, વગેરે વગેરે.
“કોઇપણ વસ્તુ બધા માટે નથી હોતી અને બધા માટે કોઇને કોઇ વસ્તું જરૂર હોય છે..!” આ વાત સમજવી અને તેને પચાવવી ખુબજ અઘરી છે. એક વ્યક્તિને બીજા વ્યક્તિથી ઇર્ષા થાય એ સામાન્ય વસ્તુ છે, કારણ કે તેની પાસે જે છે એના કરતા બીજા પાસે જે છે એ વસ્તુ કે વ્યક્તિ મેળવવાની તાલાવેલી તેનામાં હંમેશા વધારે હોય છે. હું આને આકર્ષણ કહીશ..! અને આ આકર્ષણ કદાચ જીવન જીવવાનો મકસદ પુરો પાડે છે અને અસંતોષનું મુખ્ય પણ કારણ છે.
આ આકર્ષણને આપણે શબ્દકોષમાં જોવા જઈશું તો બે પ્રકારના અર્થ મળશે. “ઇર્ષા અને પ્રેરણા” ચોંકવાની જરૂર નથી. પ્રેરણા અને ઇર્ષા બન્ને સિક્કાની બે બાજું જેવા છે. હકારાત્મક અભીગમવાળા અથવા બુદ્ધીજીવીઓ માટે જે પ્રેરણા છે એ જ નકારાત્મક અને નિરાશાવાદી લોકો માટે ઇર્ષા છે. એટલે અહીં એ વાત સ્પષ્ટ થાય છે કે અહી મુદ્દો ઇર્ષા કે પ્રેરણાનો નથી મુદ્દો તમારા અભીગમનો છે.
એક ઉદાહરણમાં સમજીએ તો, એક ઓફિસમાં 30 લોકો કામ કરતા હોય અને તેમાથી એક જ વ્યક્તિને એવોર્ડ અપાય, ત્યારે બાકીના 29 લોકોની વીચારસરણીનો અંદાજ આપણે કાઢવા જઈએ તો મુખ્ય ચાર પ્રકારની વિચારસરણીવાળા લોકો મળશે..! પહેલા જે એવા હશે જે કહેશે કે આ બોસનો માનીતો હતો એટલે તેને આ એવોર્ડ મળ્યો. બીજા કહેશે કે સાહેબે એવી જ કંઇક વ્યવસ્થા કરી છે કે બધાને એવોર્ડ મળવો જોઇએ એટલે તો છેલ્લા પાંચ મહીનામાં એક પણ એવોર્ડ કોઇને રીપીટ નથી થયો. આપણો પણ વારો આવશે..! ત્રીજા પ્રકારના લોકો કહેશે હું આવતા મહિને આનાથી વધુ મહેનત કરીશ, પણ હવેનો એવોર્ડ તો હું જ લઈ જઈશ..! અને ચોથો વર્ગ એવો હશે જે કહેશે કે અમે ગમે તેટલી મહેનત કરીએ પણ અમને કશું જ મળતું નથી.
ઉપરના ઉદાહરણમાં આપણને ચાર પ્રકારની વિચારસરણીના લોકો જોવા મળે છે. પહેલા ઇર્ષા પ્રધાન અથવા નકારાત્મક અભીગમવાળા, બીજા આળસું અભીગમવાળા, ત્રીજા આશાવાદી અને હકારાત્મક અભીગમવાળા અને ચોથા નીરાશાવાદી..!
જે લોકો આળસું હશે તેમને ચર્ચામાં બહું રસ હોતો નથી કારણ કે બોલવામાં અને વિચારવામાં મહેનત પડે એટલે તે બધી વાતો શાંતીથી સાંભળે છે, જ્યારે હકારાત્મક અભીગમવાળા લોકોને ખોટી ચર્ચા અને પંચાતમાં બહું રસ પડતો નથી એટલે તે કોઇ ચર્ચ સાંભળતા પણ નથી અને આવી ચર્ચામાં ભાગ પણ લેતા નથી. નિરાશાવાદી લોકોને પણ જ્યાં સુધી પુંછવામાં ના આવે ત્યાં સુધી પોતાનો બળાપો કાઢવામાં માનતા નથી..! પણ ઇર્ષાળું અથવા નકારાત્મક અભીગમવાળા લોકો માર્કેટમાં પોતાના વિચારોનો પ્રચાર કરવા તરત નીકળી પડશે..!
અહીં સમજવા જેવી બાબત એ બનશે કે મોટાભાગના લોકો નકારત્મક વાત જ વધારે સાંભળશે.! અને એક જ વાત સંભળાતી હોવાથી આળસું અભીગમવાળા લોકો વિચારવામાં વધારે સમય નહી બગાડે અને બોસની સાંઠગાંઠ વાળી વાત માની લેશે, જ્યારે નિરાશાવાદી લોકો માટે તો આ ડુબતાને સહારા જેવી વાત થઈ પડશે કે પોતાને એવોર્ડ ના મળ્યો એમાં પોતાનો કોઇ વાંક જ નોતો, પણ બોસે તેને દગો આપેલો હતો..!! છેલ્લા રહ્યા હકારાત્મહ અભીગમવાળા અથવા આશાવાદી લોકો જેમને આવી વાતોમાં ખાંસ કઈ રસ નથી હોતો, એ લોકો બીજાની લીટી નાની કરવા કરતા પોતાની લીટી મોટી કરવામાં વધું માનતા હોય છે..!
એ એક વર્ગને બાદ કરતા બહુમતી લોકો માટે એવોર્ડ જીતેલી વ્યક્તિ ઇર્ષાનું કારણ બની જતો હોય છે..! અને ઇર્ષાના ભાગરૂપે એ વ્યક્તિ સાથે ઘણુંબધું થાય છે, જેમકે તેની અવગણના થવી, નાની નાની બાબતોમાં તેની નીંદા થવી, બધાની નફરતનું કારણ બની જવું, તેને શકની નજરે જોવો વગેરે વગેરે પણ જેમણે એ વ્યક્તિ પાસેથી પ્રેરણા લીધી હશે, તેમને કદાચ એવોર્ડ ભલે ના મળે પણ, તેમના કામમાં સુધારો આવ્યો હશે, જે વર્ષના અંતે તેમના પ્રમોશન અને પગારવધારાને જરૂર અસર કરશે..! જીવનના મોટાભાગના કિસ્સાઓમાં પણ આવું જ કંઇક બનતું હોય છે.
અહી જે લોકો આળસું, નિરાશાવાદી અને નકારત્મક અભીગમવાળા છે તેમને ઇર્ષા જીવનમાં પાછળ ધકેલવાનું કામ કરશે જ્યારે આશાવાદી અને હકારત્મકલોકોને એ ઇર્ષાનો હકારાત્મક પર્યાય “પ્રેરણા” જીવન જીવવાનું બળ આપશે.
પણ આ બધા પાછળનું મુખ્ય કારણ તો અસંતોષ જ છે, કે “મારા કર્મના બદલામાં મને જે મળ્યું તે ઓછું છે”. હવે અહીં તમને જે ઓછું મળ્યું છે અથવા નથી મળ્યું તે મેળવવા માટેનો જે તમારો અભીગમ અથવા તમારી વિચારસરણી હશે એ જે નક્કી કરશે કે તમે જીવનમાં આગળ જશો કે પાછળ..!
જેમ “જરૂરીયાત એ ખોજની માતા છે.!” એમજ “અસંતોષ એ જીવન જીવવાનું ચાલકબળ છે..!” ઇર્ષા અને પ્રેરણાએ માત્ર તમારા અભિગમને દર્શાવતા અથવા ઓળખાવતા માત્ર શબ્દો જ છે. પણ આપણા જીવનનું ચાલકબળ તો અસંતોષ જ છે..!
કારણ કે જે લોકો સંતોષી છે, તેમને ન તો કંઇ મેળવવાની પડી છે કે ના કંઇ ગુમાવવાની…!! બસ તે પોતાના નીજાનંદમાં ખોવાયેલા હોય છે. સામાન્ય સમજણવાળા લોકોની ભાષામાં તે લોકો ગાંડાં હોય છે. આવા લોકોનું જીવન હમેશા એક જ ગતીએ આગળ વધતું હોય છે, એટલે તેમને જીવનના ચાલકબળ ખાસ જરૂર જણાતી નથી.
પણ એવા લોકો જેમને પોતાની પાસે જે છે, અથવા જે મળી રહ્યું છે, તેનાથી સંતોષ નથી. એવા લોકો ઘટતી વસ્તુ અથવા જરૂરીયાત પુરી કરવા પોત-પોતાના રસ્તા પકડશે, અને એ રસ્તાઓ જેને હું જીવન જીવવાનો અભીગમ કહું છું એ જ નક્કી કરશે એ વ્યક્તિ સમર્થ છે કે અસમર્થ…!
જેમકે મહેનતું અને સમર્થ લોકો ચર્ચામાં પડ્યા વગર પોતાના કામમાં ધ્યાન આપશે અને પોતાને પહેલા એ વસ્તુ કે વ્યક્તિને લાયક બનાવશે જ્યારે આળસું, અસમર્થ લોકો માત્ર ચર્ચામાં પડશે કે એ લોકો લાયક છે, છતાં તેમને એ વસ્તું નથી મળી અથવા જે લાયક નથી એવા લોકોને જ આવી વસ્તું કેમ મળે છે..?? અથવા એ લોકો ગેરકાયદેસર રિતે અમારો હક્ક છીનવી ગયાં…! પણ કદી ફરીયાદ કર્યા વગર એ વસ્તું કે વ્યક્તિને લાયક થવાની કોશીશ નહી કરે..! અને સમાજના બીજા લોકોને પણ પોતાના તરફ ભેળવવાનો પ્રયત્ન કરશે..! અને ઇર્ષા જેવું દુષણ બીજાના કાનમાં પુરશે..!
અંતમાં હું એટલું કહીશ કે અસંતોષ હોવો જરૂરી છે, પણ એ અસંતોષને આપણે જીવનમાં કેવા અભીગમ સાથે લઇએ છીએ એ જોવું વધારે જરૂરી છે..!
December 12, 2016
અસંતોષ પણ જીવનમાં જરૂરી છે..?
અસંતોષએ માનવીનો સૌથી મોટો દુશ્મન છે, માણસને સંતોષી થવું જોઇએ, માણસે બીજાની ઇર્ષા ના કરવી જોઇએ, એ બધા પર હું આ આજે ચર્ચા કરવા નથી માંગતો પણ હાં, અસંતોષ જીવનમાં કેટલો જરૂરી છે તેની ચર્ચા મારે જરૂર કરવી છે.
અસંતોષ એ સમાજમાનું દુષણ છે કે નહી, એ આપણે પછી સમજીએ પણ પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અસંતોષ છે શું અને તેનું જીવનમાં શું મહત્વ છે..! તો પહેલા એ સમજીએ કે આ અસંતોષ કેટલા પ્રકારનો અથવા કંઇ બાબતનો હોઇ શકે..? ઓછા પગારનો અસંતોષ, સારા મિત્રો અથવા સારું ફેમીલી ના મળ્યાનો અસંતોષ, સારી જોબ ના મળી એનો અસંતોષ, પ્રેમીકા ના મળી તેનો અસંતોષ, ગરીબ હોવાનો અસંતોષ, પ્રખ્યાત ના હોવાનો અસંતોષ, વગેરે વગેરે.
“કોઇપણ વસ્તુ બધા માટે નથી હોતી અને બધા માટે કોઇને કોઇ વસ્તું જરૂર હોય છે..!” આ વાત સમજવી અને તેને પચાવવી ખુબજ અઘરી છે. એક વ્યક્તિને બીજા વ્યક્તિથી ઇર્ષા થાય એ સામાન્ય વસ્તુ છે, કારણ કે તેની પાસે જે છે એના કરતા બીજા પાસે જે છે એ વસ્તુ કે વ્યક્તિ મેળવવાની તાલાવેલી તેનામાં હંમેશા વધારે હોય છે. હું આને આકર્ષણ કહીશ..! અને આ આકર્ષણ કદાચ જીવન જીવવાનો મકસદ પુરો પાડે છે અને અસંતોષનું મુખ્ય પણ કારણ છે.
આ આકર્ષણને આપણે શબ્દકોષમાં જોવા જઈશું તો બે પ્રકારના અર્થ મળશે. “ઇર્ષા અને પ્રેરણા” ચોંકવાની જરૂર નથી. પ્રેરણા અને ઇર્ષા બન્ને સિક્કાની બે બાજું જેવા છે. હકારાત્મક અભીગમવાળા અથવા બુદ્ધીજીવીઓ માટે જે પ્રેરણા છે એ જ નકારાત્મક અને નિરાશાવાદી લોકો માટે ઇર્ષા છે. એટલે અહીં એ વાત સ્પષ્ટ થાય છે કે અહી મુદ્દો ઇર્ષા કે પ્રેરણાનો નથી મુદ્દો તમારા અભીગમનો છે.
એક ઉદાહરણમાં સમજીએ તો, એક ઓફિસમાં 30 લોકો કામ કરતા હોય અને તેમાથી એક જ વ્યક્તિને એવોર્ડ અપાય, ત્યારે બાકીના 29 લોકોની વીચારસરણીનો અંદાજ આપણે કાઢવા જઈએ તો મુખ્ય ચાર પ્રકારની વિચારસરણીવાળા લોકો મળશે..! પહેલા જે એવા હશે જે કહેશે કે આ બોસનો માનીતો હતો એટલે તેને આ એવોર્ડ મળ્યો. બીજા કહેશે કે સાહેબે એવી જ કંઇક વ્યવસ્થા કરી છે કે બધાને એવોર્ડ મળવો જોઇએ એટલે તો છેલ્લા પાંચ મહીનામાં એક પણ એવોર્ડ કોઇને રીપીટ નથી થયો. આપણો પણ વારો આવશે..! ત્રીજા પ્રકારના લોકો કહેશે હું આવતા મહિને આનાથી વધુ મહેનત કરીશ, પણ હવેનો એવોર્ડ તો હું જ લઈ જઈશ..! અને ચોથો વર્ગ એવો હશે જે કહેશે કે અમે ગમે તેટલી મહેનત કરીએ પણ અમને કશું જ મળતું નથી.
ઉપરના ઉદાહરણમાં આપણને ચાર પ્રકારની વિચારસરણીના લોકો જોવા મળે છે. પહેલા ઇર્ષા પ્રધાન અથવા નકારાત્મક અભીગમવાળા, બીજા આળસું અભીગમવાળા, ત્રીજા આશાવાદી અને હકારાત્મક અભીગમવાળા અને ચોથા નીરાશાવાદી..!
જે લોકો આળસું હશે તેમને ચર્ચામાં બહું રસ હોતો નથી કારણ કે બોલવામાં અને વિચારવામાં મહેનત પડે એટલે તે બધી વાતો શાંતીથી સાંભળે છે, જ્યારે હકારાત્મક અભીગમવાળા લોકોને ખોટી ચર્ચા અને પંચાતમાં બહું રસ પડતો નથી એટલે તે કોઇ ચર્ચ સાંભળતા પણ નથી અને આવી ચર્ચામાં ભાગ પણ લેતા નથી. નિરાશાવાદી લોકોને પણ જ્યાં સુધી પુંછવામાં ના આવે ત્યાં સુધી પોતાનો બળાપો કાઢવામાં માનતા નથી..! પણ ઇર્ષાળું અથવા નકારાત્મક અભીગમવાળા લોકો માર્કેટમાં પોતાના વિચારોનો પ્રચાર કરવા તરત નીકળી પડશે..!
અહીં સમજવા જેવી બાબત એ બનશે કે મોટાભાગના લોકો નકારત્મક વાત જ વધારે સાંભળશે.! અને એક જ વાત સંભળાતી હોવાથી આળસું અભીગમવાળા લોકો વિચારવામાં વધારે સમય નહી બગાડે અને બોસની સાંઠગાંઠ વાળી વાત માની લેશે, જ્યારે નિરાશાવાદી લોકો માટે તો આ ડુબતાને સહારા જેવી વાત થઈ પડશે કે પોતાને એવોર્ડ ના મળ્યો એમાં પોતાનો કોઇ વાંક જ નોતો, પણ બોસે તેને દગો આપેલો હતો..!! છેલ્લા રહ્યા હકારાત્મહ અભીગમવાળા અથવા આશાવાદી લોકો જેમને આવી વાતોમાં ખાંસ કઈ રસ નથી હોતો, એ લોકો બીજાની લીટી નાની કરવા કરતા પોતાની લીટી મોટી કરવામાં વધું માનતા હોય છે..!
એ એક વર્ગને બાદ કરતા બહુમતી લોકો માટે એવોર્ડ જીતેલી વ્યક્તિ ઇર્ષાનું કારણ બની જતો હોય છે..! અને ઇર્ષાના ભાગરૂપે એ વ્યક્તિ સાથે ઘણુંબધું થાય છે, જેમકે તેની અવગણના થવી, નાની નાની બાબતોમાં તેની નીંદા થવી, બધાની નફરતનું કારણ બની જવું, તેને શકની નજરે જોવો વગેરે વગેરે પણ જેમણે એ વ્યક્તિ પાસેથી પ્રેરણા લીધી હશે, તેમને કદાચ એવોર્ડ ભલે ના મળે પણ, તેમના કામમાં સુધારો આવ્યો હશે, જે વર્ષના અંતે તેમના પ્રમોશન અને પગારવધારાને જરૂર અસર કરશે..! જીવનના મોટાભાગના કિસ્સાઓમાં પણ આવું જ કંઇક બનતું હોય છે.
અહી જે લોકો આળસું, નિરાશાવાદી અને નકારત્મક અભીગમવાળા છે તેમને ઇર્ષા જીવનમાં પાછળ ધકેલવાનું કામ કરશે જ્યારે આશાવાદી અને હકારત્મકલોકોને એ ઇર્ષાનો હકારાત્મક પર્યાય “પ્રેરણા” જીવન જીવવાનું બળ આપશે.
પણ આ બધા પાછળનું મુખ્ય કારણ તો અસંતોષ જ છે, કે “મારા કર્મના બદલામાં મને જે મળ્યું તે ઓછું છે”. હવે અહીં તમને જે ઓછું મળ્યું છે અથવા નથી મળ્યું તે મેળવવા માટેનો જે તમારો અભીગમ અથવા તમારી વિચારસરણી હશે એ જે નક્કી કરશે કે તમે જીવનમાં આગળ જશો કે પાછળ..!
જેમ “જરૂરીયાત એ ખોજની માતા છે.!” એમજ “અસંતોષ એ જીવન જીવવાનું ચાલકબળ છે..!” ઇર્ષા અને પ્રેરણાએ માત્ર તમારા અભિગમને દર્શાવતા અથવા ઓળખાવતા માત્ર શબ્દો જ છે. પણ તમારા જીવનનું ચાલકબળ તો અસંતોષ જ છે..!
કારણ કે જે લોકો સંતોષી છે, તેમને ન તો કંઇ મેળવવાની પડી છે કે ના કંઇ ગુમાવવાની…!! બસ તે પોતાના નીજાનંદમાં ખોવાયેલા હોય છે. સામાન્ય સમજણવાળા લોકોની ભાષામાં તે લોકો ગાંડાં હોય છે. આવા લોકોનું જીવન હમેશા એક જ ગતીએ આગળ વધતું હોય છે, એટલે તેમને જીવનના ચાલકબળ ખાસ જરૂર જણાતી નથી.
પણ એવા લોકો જેમને પોતાની પાસે જે છે, અથવા જે મળી રહ્યું છે, તેનાથી સંતોષ નથી. એવા લોકો ઘટતી વસ્તુ અથવા જરૂરીયાત પુરી કરવા પોત-પોતાના રસ્તા પકડશે, અને એ રસ્તાઓ જેને હું જીવન જીવવાનો અભીગમ કહું છું એ જ નક્કી કરશે એ વ્યક્તિ સમર્થ છે કે અસમર્થ…!
જેમકે મહેનતું અને સમર્થ લોકો ચર્ચામાં પડ્યા વગર પોતાના કામમાં ધ્યાન આપશે અને પોતાને પહેલા એ વસ્તુ કે વ્યક્તિને લાયક બનાવશે જ્યારે આળસું, અસમર્થ લોકો માત્ર ચર્ચામાં પડશે કે એ લોકો લાયક છે, છતાં તેમને એ વસ્તું નથી મળી અથવા જે લાયક નથી એવા લોકોને જ આવી વસ્તું કેમ મળે છે..?? અથવા એ લોકો ગેરકાયદેસર રિતે અમારો હક્ક છીનવી ગયાં…! પણ કદી ફરીયાદ કર્યા વગર એ વસ્તું કે વ્યક્તિને લાયક થવાની કોશીશ નહી કરે..! અને સમાજના બીજા લોકોને પણ પોતાના તરફ ભેળવવાનો પ્રયત્ન કરશે..! ઇર્ષા જેવું દુષણ બીજાના કાનમાં પુરશે..!
અંતમાં હું એટલું કહીશ કે અસંતોષ હોવો જરૂરી છે, પણ એ અસંતોષને તમારા જીવનમાં કેવા અભીગમ સાથે લો છો એ જોવું વધારે જરૂરી છે..!
October 24, 2016
ભુલથી થયેલા લગ્ન…!! (Accidental Marriage..!)
“લગ્નનો લાડવો જે ખાય તે પણ પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય..!” આ કહેવત કેટલા ટકા સાચી છે તેના પર આજે મારે ચર્ચા કરવી છે. લગ્નની સિઝન ચાલું થવામાં છે અને જેમના લગ્ન નજીકની તારીખોમાં થવાના છે, તેમને આ કહેવતનો અર્થ સમજવો વધારે જરૂરી છે..!
લગ્ન ઘણી જાતના હોય છે, લવ મેરેજ, એરેંજ મેરેજ, પરાણે થયેલા લગ્ન (ફોર્સ્ડ મેરેજ), ભુલથી થયેલા લગ્ન (એક્સિડેન્ટલ મેરેજ..) પરફેક્ટ મેરેજ પણ આ બધા લગ્નના ના પ્રકારોને એક બ્લોગ્માં સમજાવવા શક્ય નથી એટલે દર અઠવાડીયે એક એક પ્રકાર સમજવાનો પ્રયત્ન કરશું..! શરૂઆત કરીએ ભુલથી થયેલા લગ્ન..!
બહું ઓછા લોકોએ મારી સામે એવો એકરાર કર્યો હશે કે હું લગ્ન બાદ ખુબજ ખુશ છું. પણ આનો અર્થ એ નથી કે લગ્ન બાદ કોઇ સુખી નથી હોતું પણ એવું દર્શાવતા પણ ઘણા લોકો અચકાય છે એ હકિકત છે…!! હવે આ ઉલટી વાત થઈ કે તમને ગમે પણ છે અને કહેવું પણ નથી. એવી જ પરીસ્થીતી કુંવારાઓની છે કે તેમને લગ્ન કરવાનો શોખ તો ઘણો છે પણ તે એમ કહેશે કે પપ્પાની ઇચ્છા છે એટલે સેટલ થઈ જવું છે અથવા મમ્મીથી હવે કામ નથી થતું અને છોકરીઓનું એવરગ્રીન બહાનું ઘરવાળાઓ સામે હું શું બોલું. જેમના લગ્ન થવામાં વિલંબ થાય છે, તે કહેશે યાર, કોઇ પસંદ નથી પડી રહ્યું અથવા હજી સેટલ થવું છે પછી લગ્નનો વિચાર કરીશ પણ જો એ સમયે સામા પક્ષે હા પાડી કે મુકો બધું બાજુમાં આપણે તો નીકળ્યા પરણવાં…!
લગ્નએ જીવનની જરૂરીયાત છે..! પણ જો એ બે પાત્રો એકબીજા માટે બનેલા હોય તો..! નહીતર એ કાળાપાણીની સજા કરતા ઓછું નથી..!!
લગ્ન નામના ગાડાના બેં મહત્વના પૈડા હોય છે એક ધીરજ અને બીજી સમજણ..! પણ ઉતાવળીયા લગ્નમાં મોટાભાગે આ બંન્ને પૈડામાં પચંર જ હોય છે..!! પણ આ ઉતાવળના કારણો પહેલા સમજવા પડશે..! મારું ગણીત કહે છે કે 40% લગ્નો ઉતાવળીયા અથવા અસ્પષ્ટ નિર્ણયના કારણે કરાયેલા હોય છે, જે નિર્ણયની સજા આખી જીંદગી ભોગવવી પડતી હોય છે..!
હવે એ સમજી કે લગ્ન જીવન માટે કેટલા જરૂરી છે અથવા તે કોઇ બોજા સમાન છે કે નહી. સામાન્ય બુદ્ધીના માણસને હમેંશા કોઇક જોઇએ જ કે જેની સાથે તે ગમે ત્યારે વાત કરી શકે. પોતાના દુખ વહેચી શકે અને સુખમાં ભાગીદાર બનાવી શકે..! હવે જ્યા સુધી આપણે નાના હતાં ત્યાં સુધી મા-બાપ અને પછી મીત્રો આપણી આ જરૂરીયાત પુરી કરતા હતાં, પણ સાચી મુશ્કેલીઓની શરૂઆત અભ્યાસ પત્યા પછી જ થાય છે, મિત્રો જોબમાં વ્યસ્ત હોય એટલે એમની સાથે ટાઇમ અને મુલાકાતો ઓછી થવા લાગે..! ઉપરથી નવી ઓફિસ અને બોસની ખટપટ..! સેલેરીથી અસંતોષ..! આ બધા કારણો આપણે સંપુર્ણપણે હતોત્સાહ કરી નાખેં અથવા આનાથી સાવ ઉલટું થાય, નવી જોબમાં ખુબજ ખુશ હોઇએ, સારી સેલેરી હોય, અને બધું પોઝીટીવ પોઝીટીવ થવા લાગે અથવા ત્રીજું કે સાવ બોરીંગ લાઇફ લાગવા લાગે, સવારે ઉઠો અને ઓફિસ જાવ, સાંજે આવીને સુઈ જાવ, રવિવાર એજ મિત્રો સાથે બેઠક અને એજ એકની એક સ્ટોરી..!!
બરાબર આવી જ પરિસ્થીતી છોકરીઓના જીવનમાં પણ હોય, બહેનપણીના લગ્ન થઈ ગયા હોય, એટલે એમને ટાઇમના હોય, જો મમ્મી-પપ્પા જોબની ના પાડે તો ઘરે ને ઘરે રહી કંટાળી જવાય અથવા ભાઇ-ભાભીને મસ્તી કરતા જોઇ ઇર્ષા થાય અને પોતાનો પણ કોઇ સાથી હોય જેની સાથે તે મસ્તી કરી શકે તેવા અભરખા જાગે અથવા ભાભી સાથે રોજ માથાકુટથી કંટાળી સેટલ થવાની ઇચ્છા પણ થાય અને છેલ્લે ટીપીકલ મા-બાપ પોતાની મહાત્વાંકાક્ષી દિકરીને પરાણે પરણાવી દે..!!
પણ બધા કિસ્સામાં છોકરો કે છોકરીને એક એવી ઇચ્છા જરૂર હોય કે કોઇ આપણું પણ હોય જેની સાથે પોતે સુખ:દુખની પળો માણી શકે..! સમય વિતાવી શકે, જેને માત્ર પોતાના માટે જ ટાઇમ હોય..!! આવા જ ગુલાબી સપના બન્ને પક્ષ જોતા હોય છે..! અને પછી પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ, સગાઇથી લગ્ન સુધી તો બંન્ને પક્ષને લાગે કે તેમની જીંદગી જન્નત થવા થઈ રહી છે.અમુક દુર્ભાગી લોકોને લગ્નના બસ થોડા સમય પહેલા લાગે કે તે ભરાઇ ગયા છે. પણ મોટાભાગના કિસ્સમાં સાચી ખબર લગ્ન પછી જ પડે….!
આનું મુખ્ય કારણ એ હોય કે તમે સગાઇથી લગ્નસુધી એકબીજા સાથે ભવિષ્યના સપના જોયા હોય, એકબીજામાં ખોવાઇ જવાની વાતો કરી હોય પણ કદી એકબીજાના સાચા સ્વભાવને સમજવાની કોશીશ જ ના કરી હોય..! ઘણી વખત તો આપણે આપણા સ્વભાવ માટે જુઠ્ઠુ બોલ્યા હોય, જેથી સામેના પક્ષને આપણાથી વધારે આશા બંધાઇ ગઈ હોય…!! એ યુગલો જે વાસ્તવીકતા દુર એકબીજામાં મસ્ત થઈને ફરતા હોય તે લગ્ન પછી તરત જમીન પર આવી જાય, આમ તો પટકાઇ જાય એમ કહું તોં ખોટું નથી કારણ કે ત્યારે વાસ્તવીકતા તેમની સામે હોય છે..!
જેમકે, છોકરો કંજુસ હોય અને સગાઇ સુધી તેની થનારી ઘરવાળીને ખુશ રાખવા મન મારીને પણ પૈસા ઉડાવતો હોય, પણ લગ્ન પછી રોજ-રોજના ખર્ચાથી તે કંટાળે..! અને પછી બંન્નેને જ્યારે હકિકતનો સામનો કરવાનો સમય આવે ત્યારે બંન્ને એકબીજા પર ચડી બેસે..! બીજા કિસ્સામાં છોકરો મારા જેમ ખુબજ આળસું હોય પણ સગાઇ વખતે તેની પ્રીયતમને ખુશ રાખવા તે ખુબજ દોડાદોડી કરતો હોય પણ લગ્ન બાદ આળસું માણસ પોતાનું પોત પ્રકાશે જ અને પાછો બોરીંગ બની જાય..! પણ હવે મેડમ આ કુંભકરણ સાથે ભરાઇ ગયા હોય એટલે માથુંકુટવા સિવાય બીજું શું કરે..?
ત્રીજા કિસ્સામાં છોકરીએ બહું ઉંચા ઉંચા સંસ્કારોની વાત કરી હોય કે તે લગ્ન પછી તેની સાસુ-સસરાની ખુબજ સેવા કરશે, તેની નણંદને લાડ લડાવશે વગેરે વગેરે પણ લગ્ન બાદ જ્યારે હકિકત સામે આવે ત્યારે મેડમ કંઇક અલગ જ મુડમાં હોય..! અને ભાઇને લાગે કે પોતે “કસોટી જીંદગી કી”ની કોમોલીકાને શોધી લાગ્યો છે, પણ હવે શું થાય..? આવા કિસ્સા ગણાવા બેંસું તો આખું પુસ્તક ભરાઇ જાય પણ આપણે વાત આગળ વધારીએ..!
ઉપરની પરિસ્થીતીએ લોકો માટે હતી જે લગ્ન પહેલા જે પોતે નથી એવો દેખાવાનો ડોળ કરી સામા પક્ષને છેતરે અને લગ્ન બાદ પોતાની આ અપ્રમાણીકતાનો ડોળ બંન્ને પક્ષને ભારે પડે છે પણ ઘણી વખત એવું પણ બને કે બંન્ને પક્ષ પ્રામાણીક હોય લગ્ન બાદ જે તેમના જીવનમાં પરિવર્તન આવવાના છે, તેમનાથી અજાણ હોય, ત્યારે શું પરિસ્થીતી થાય એ સમજીએ..!
પહેલા આપણે એ સમજવું પડશે કે આપણે આપણા સ્વભાવ સાથે અને સ્વભાવ સાથે મેચ થનારા લોકો વચ્ચે 20-25 વર્ષ કાઢ્યા હોય અને અચાનક કોઇ અલગ જ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશી જાય છે, જે તમને બધી રિતે સુધારવા માંગતી હોય, પછી ભલેને એ આપણી મરજી આવતી હોય…!! એ વ્યક્તી પોતાને સુધારવા માંગે છે, એ વાત પોતે પણ જાણતા હોય અને લગ્ન થાય ત્યાં સુધી તમને એ ગમતું પણ હોય..! જેમકે સમયસર ફોન આવી જાય કે જમી લીધું..? ભલેને પછી ભાઇ રોજ 4 વાગ્યે વડાપાઉ ખાઇને દિવસ કાઢતા હોય પણ એ ફોન આવતાની સાથે ભાઇ બપોરે 12 વાગ્યે આખી થાળી મંગાવે..! સિગારેટ, તંમ્બાકું, ગુટકા બધું જ છુટી જાય..! જુની ગર્લફેંડોના નંબર ડિલીટ થઈ જાય, રાત્રે વહેલા સુવાનું ચાલું થઈ જાય..! ભાષા સુધરી જાય…!!
આવું સામા પક્ષે પણ થવા લાગે..! અચાનક મોટા અને સમજદાર થઈ ગયા હોય તેમ ઘરમાં સલાહો-સુચનો આપવાના ચાલું, બંધું કામ જાતે કરવા લાગે જેથી બતાવી શકે કે પોતે કેટલી મહેનત કરે છે..! ખોટા ખર્ચા પર કાંપ લાગી જાય, કરકસરની વાતો થવા લાગે જેથી પોતે એ સાબીત કરી શકે કે પોતનામાં સફળ ગ્રુહીણી થવાના તમામ ગુણ છે..! આ બધા સુધારા બંન્ને પક્ષ લગ્ન સુધી માત્ર દેખાડા માટે નથી કરતા હોતા પણ દિલથી પ્રયત્ન કરે છે પણ લગ્ન બાદ બંધું તરત બદલાવા લાગે છે..!
એ “સુધારા” શબ્દ ની જગ્યા “બદલાવ” શબ્દ લઈ લેશે.! શું તું મને બદલીને પ્રેમ કરવા માંગે છે..? બંન્ને પક્ષે આ સવાલ ઉઠવા લાગશે, કારણ કે જે સુધારાની એ લોકો લગ્ન પહેલા વાત કરતા હતાં, તે તેમનો સ્વભાવ હતો અને સ્વભાવ માણસની સાથે જ જાય..!! તમે અમુક સમય સુધી કદાચ તેને દબાવી શકો પણ સાચી સમજણ વગર પોતાને બદલવાની કોશીશ કરવી એ અસંભવ છે, અને પછી સરખામણી ચાલું થાય કે કોનો પ્રેમ મહાન..! કોના માટે કોણે શું જાતું કર્યું..? કોના માટે કોણે પોતાને કેટલા બદલ્યા..! પણ બંન્ને એ વાત ભુલી જાય છે કે લગ્ન પહેલા બંન્ને એટલા જ ઉત્સાહી હતા કે એકબીજા માટે ગમે તે કરી શકતા હતાં, પણ હવે જે જોઇતું હતું તે મળી ગયું હતું અને તેનાથી ઘરાઇ પણ ગયા હતાં એટલે એ હવે તે વ્યક્તિ માતે પોતાને બદલવાની જરૂર પણ નથી રહી..! સાચો સ્વભાવ સામે આવે કે તરત ઝઘડાનો દોર ચાલું થઈ જાય..! રોજ નવા નવા બહાના શોધવામાં આવે..!
પણ મિત્રો લગ્નએ કોઇ સ્પર્ધા કે કાર્યક્ર્મમા લીધેલો ભાગ તો નથી કે થાકી જઈએ એટલે બહાર નીકળી જવાનું..! તમારા બંન્નેના કારણે બે પરિવારો જોડાયા છે અને તમારી નાદાનીયતના કારણે કેટલા લોકો દુભાય તેનો અંદાજો પણ તમને નથી હોતો..! વડિલો કહેતા હોય કે અનુભવ થાય એટલે સિખવા મળે પણ લગ્ન કરીને આવા અનુભવો ના કરાય મારા મિત્રો..!!
આ લોકોને તરત એ અનુભવ થશે કે “નવું નવું નવ દિવસ..!” આ એ જ લોકો માટે છે, જેમણે માત્ર ગુલાબી સપનાઓને સાકાર કરવા કોઇપણ ગંભીર વિચાર કર્યા વગર અથવા લગ્ન જીવનના અર્થને સમજ્યા વગર લગ્ન કરી લીધા હોય..!
મારી આ વાતની ચોખવટ કરવાનું એક જ કારણ છે કે બંધ આખે જોયેલા સપના સાચા હોતા નથી. લગ્ન બાદ જે હકિકતોનો સામનો કરવાનો હોય છે, તે અણધાર્યો અને અણગમતો હોય છે. જેમકે સ્ત્રીને પીયરમાં મોડા સુધી સુવાની આદત હોય, અને લગ્ન બાદ એ આદત પહેલા છોડવાની થાય.! આ પરીવર્તન બધા પચાવી નથી શકતા..! ઘણા એ પણ સવાલ પણ કરે છે કે લગ્ન પછી શા માટે છોકરીને જ એ કાયદામાં બંધાવું પડે..? કેમ પુરુષને કોઇ ફરક નથી પડતો..? આવા આઝાદ વિચારો અત્યારની આ સ્રીમાં ઉદભવવા સામાન્ય છે, પણ આ એક પરિવર્તન તે મન મારીને અથવા સ્વાભાવીક રિતે સ્વિકારી લે છે પણ જે આ ચેંજ નથી સ્વિકારી શકતી એ સ્ત્રીની માનસીકતાની વાત કરીએ..! તો પહેલું કે એ પોતાને સવાલ કરે છે કે હું જ કેમ..? અને તે પોતાના પતિ તરફ સહાયતા માટે જુએ પણ એ લાચાર હોય છે..! એ સમયે તેને લાગે કે તે સસુરાલમાં તે એકલી જ છે..! આવા સમયે જો માથાભારે નણંદ હોય તો વાત પતી ગઈ..! બંન્ને વચ્ચે ઝઘડા ચાલું..! સામાન્ય રિતે તેની સાસું તેની દિકરીનો જ સાથ આપે..! એટલે થાય વાતનું વતેસર..!
કદાચ તે આવી નાની નાની ફરીયાદો પોતાની બહેનપણીઓને કરે, અને અક્સ્માતે તેની બહેનપણી પણ જો આ જ પરિસ્થીતીમાંથી પસાર થતી હોય તો પતી ગયું..! પતી હજી આ ગુલાબી ઉંઘમાંથી જાગ્યો જ હોય કે તેને જાણવા મળે કે તેની બિચારી પત્ની પર તેના ઘરવાળા કેવા જુલમો કરી રહ્યા છે..! અને ભાઇની હાલત થાય સુડી વચ્ચે સોપારી જેવી..! ના એ પત્નિનો સાથ આપી શકે ના તેના મમ્મીનો..! તેના પતિનું આવું વલણ પત્નિને વધારે અકળાવે..! તેના મનના આ વમળો તેના જીવનમાં બીજા વમળો પેદા કરવાનું ચાલું કરે, દરેક વખતે તે પોતાના સાસરીયા પક્ષને શકની નજરથી જોવાનું ચાલું કરે, આ લોકો મને જ નીશાન બનાવે છે..! અને પછી તો તમે અંદાજો લગાવી શકો છો કે શું થઈ શકે છે..!
હવે વાત એ છે એક સામાન્ય જલ્દી ઉઠવાની વાત અથવા કામની વહેચણી જેવી સામાન્ય બાબત કોઇ પણ સ્ત્રીના મગજમાં આટલો ઉત્પાત કેમ મચાવે..? હવે તેના કારણો અને સમાધાનની વાત કરીએ તો, પહેલું કે ઘરની લાડકી દિકરીને આપણે લગ્ન પછી બદલાતી પરિસ્થીતી વિષે બરાબર રિતે આગાહ કરી નથી હોતી..! અને એ નાદાન છોકરી જ્યારે સ્ત્રી બને છે, ત્યારે આ પરિસ્થીતી સમજી નથી શકતી. સસુરાલમાં પણ આપણા સમાજમાં સાસુ-સસરાને હમેંશા વિલનની જેમ જ ચિતરવામાં આવ્યા છે, જેથી તે સ્ત્રી ડર અથવા સંકોસના કારણે તેની સાસુની સાથે, આ થઈ રહેલા ભેદભાવની વાત નથી કરી શકતી અને ગુંગળાયા રાખે છે. પછી પ્રશ્ન માત્ર વહેલા ઉઠવાનો નથી હોતો, એ તો માત્ર ચિંગારી જ છે જે આગ લગાડવાનું કામ કરે છે, સ્ત્રીના મનમાં બીજા સવાલો ઉભા કરે છે..! તેની જે કથીત આઝાદીમાં જે સાસુ-સસરા તરાપ મારે છે તે પણ તેને પસંદ નથી પડતું. તે પોતાને સોનાના પીંઝરામાં કેદ થયેલું પક્ષી જ સમજી બેસે છે..!
હવે સમજો કે કદાચ નવ-પરિણીત યુગલ એકલું જ રહેતું હોય તો પણ એક સમય પછી પત્નીને પતીની આગળ-પાછળ ફરવું બોરીંગ લાગવા લાગે છે અને તે પછી પતી પાસે વધારે સમયની માંગણી કરે છે..! પોતાનું મન બહેલાવવા તે બહાર ફરવા જવાનું ગોઠવવા મથે છે..! રસોઇથી છુટકારો મેળવવા રેસ્ટોરંટમાં જ રવિવાર પુરો કરે છે..! અને જો પતિ આનાકાની કરે તો વાત પુરી..! તમને તો મારા માટે સમય જ નથી..! હું અહી તમારી પાછળ ઘસાઇ જાવ છું, પણ કદર જ નથી..! કોણ છે એ જેની પાછળ તમે આટલો સમય કાઢો છો..? ઓફિસ બદલી નાખો..! આવી નોકરી શું કામ કરવી જોઇએ..? વગેરે.!
આ બધી તકલીફોનું એક જ કારણ છે કે “પરિવર્તન” એ સ્ત્રીને રાસ આવતું નથી. તેના જીવનમાં થઈ રહેલા ફેરફારો એ સમજી નથી શકતી..! તેના માતા-પીતાની જગ્યાએ બીજું જ કોઇ આવી ગયું હોય છે..! તેના ભાઇ- બહેનની જગ્યાએ બીજાના ભાઇ-બહેન હોય છે અને મોટાભાગની સ્ત્રીઓ કદી પુરા મનથી પતિના મા-બાપને પોતાના મા-બાપ અને પતિના ભાઇ-બહેનને પોતાના ભાઇ-બહેન સ્વિકારી નથી શકતી..! જેના કારણે તેનામાં સમર્પણની ભાવના જન્મતી જ નથી..!
હું એ સ્ત્રીઓને પુછવા ઇચ્છું છું કે શું તમારી માતા વહેલા ના ઉઠતી હોત તો શું તમે મોડા સુધી ઉંઘી શકત..? શું એ બધા કામ તમારી મદદ વગર ના પતાવી દેતી હોત તો શું તમે આરામ કરી શકત..? શું તમારો ભાઇ તમને ચીડવતો હોય ત્યારે પણ તમે એટલા જ ગુસ્સે થાવ છો, જેટલા તમે તમારા દિયર અથવા નણંદ પર થાવ છો.? તમારા પિતા તમને કોઇ વસ્તુની કડક થઈને ના પાડે તો તમે ચુપ થઈ જાવ તો સ્વસુર ના પાડે તો કેમ વધારે માઠું લાગે છે..?
મુદ્દો એ છે કે એ છોકરી બીચારી એ નથી સમજી શકતી કે હવે તેને તેની માતાનો રોલ પોતાને ભજવવાનો છે અને આ તેની નેટ પ્રેક્ટીસ છે, કારણ કે ભવિષ્યમાં તે જ આ પરીવારની સર્વસર્વા હશે..! તેને બોસ તો બનવું છે પણ એ માટે પોતાની જાત ધસાવી અઘરી લાગે છે..!
પણ આ વાત તેને શાંતીથી સમજાવવા વાળા બહું ઓછા મળે છે..! મેણા-ટોણા તેનો મગજ વધારે ખરાબ અને ખતરનાક કરે છે. આવી પરિસ્થીતીમાં સ્વાર્થી અને ચાલાક સ્ત્રી સૌથી ખતરનાક સ્વરૂપમાં બહાર આવે છે અને આખા પરીવારને તહેસ-નહેસ કરી પોતાનો બદલો લે છે, ભોળી સ્ત્રી માનસીક રિતે પડી ભાંગે છે, પણ સમજું સ્ત્રી આમાથી રસ્તો કાઢી શકે છે, તે પરિવારને સાથે પણ રાખશે અને બધાની લાડકી બનીને પણ રહેશે..! આ માટે તેની પાસે એક જ હથીયાર હશે “ધીરજ..!” અને “સમજણ” તે જીવનના પ્રવાહોને જલ્દી સમજી જાય છે, તે પોતાને એક ગુલામ કે કામવાળી તરીકે નહી પણ આ જહાજની કપ્તાનની જેમ જોવા લાગે છે..!
આ લગ્ન માત્ર સ્ત્રી પર જ અસર નથી કરતા, પુરુષોની હાલાત તો આનાથી પણ વધારે ખરાબ કરે છે..! તેમના માટે પણ આ એક જ મુદ્દો હોય છે, આઝાદી..!! તેમને મોડા સુધી સુવા મળે છે, તેમની મરજી મુજબ બહાર જવા મળે છે, પણ તેમની આઝાદી પર કાંપ તો લાગે જ છે, જે વ્યક્તી રાત્રે મોડા સુધી મિત્રો સાથે બેઠતો હોય, પણ હવે તેને ઘરે વહેલા જવું પડે છે, શરૂ શરૂમાં તેને આ પરિવર્તન ગમે છે પણ પછી કંટાળે છે..! તેના મિત્રો સાથે મુલાકાતો ઓછી થવા લાગે છે, તેની દિનચર્યા પર તેની પત્નિનો કબ્જો થવા લાગે છે..!
સગા-વહાલાથી દુર ભાગતા છોકરાને સંબંધીઓના ઘરે જમવા જવું પડે છે, છોકરા માટે પણ છોકરી પક્ષના નવા સગાને હજમ કરવા અઘરા હોય છે, તેને પણ તેના સસરાની મફતની સલાહ પર ચીડ ચડે છે, તેના સાસુના વધારે પડતા પ્રેમથી કંટાળો જન્મે છે.!! રૂપાળી અને દેખાવડી સાળી હોય તો ઠીક નહીતર સાળીની મસ્તિથી પણ ગુસ્સો આવે છે.!(માફ કરજો ભાઇઓ પણ આ જ હકિકત છે..!) બધાને પોતાનો સાળો તારક મહેતાના સુંદર જેવો જ લાગે છે..!
સરવાળે જે આઝાદી અને છુટછાટની તકલીફ સ્ત્રીને ભોગવવી પડે છે, એ જ પુરુષોને પણ ભોગવવી પડે છે..! અહીં પુરુષોને પોતાના પર કસાતી લગામ પસંદ નથી પડતી, જવાબદારીનો આવી પડેલો બોજો તે તેને અકળાઇ મુકે છે..! હવે વિચાર કરો કે આ બંન્નેના કંટાળા ભેગા થાય એટલે તીખારા સિવાય બીજું શું થાય..?
નાના નાના ઝધડા બંન્ને વચ્ચે ચાલું, ઘણી વખત તો કટાક્ષ યુધ્ધ ચાલું થઈ જાય છે કે છોકરીના મમ્મી-પપ્પા તેના જીવનમાં દખલ દેવાનું ક્યારે બંધ કરશે..?, એ જ રાગ પત્ની પણ આલાપે કે તારા મમ્મી-પપ્પા મને શાંતીથી જીવવા નથી દેતા..! તું માવડીયો થઈ ગયો છે..! અને પછી અશાંતી જ અશાંતી..! જે બંન્ને લગ્ન પછી ખુબજ ખુશ હતાં, તે અચાનક દુખી થઈ જાય છે..! ઘણી વખત તો એક નાનકડી ટસલ વાતને તલાક સુધી લઇ જાય છે..!!
પણ શું આ અટકાવી ના શકાય..? શું ઉતાવળે લીધેલા આ નિર્ણયને સુઘારી ના શકાય..! શું એક જીવંત લગ્નજીવન એક દુર્લંભ સપના સમાન છે.! જો તમે તમારી જાતને આ સવાલ કરી રહ્યા છો અને ઉપર પ્રમાણ કહી તેવી સમસ્યામાંથી તમે પસાર થઈ રહ્યા છો, તો હવે તમારી પાસે આ પરિસ્થીતીમાંથી બહાર નીકળવાનું એક જ હથીયાર છે, એ છે.. “ધીરજ” ..!!
જે વાત તમે અત્યારે નથી સમજી શકતા, એ તમને સમય જતાં કોઇના પણ સમજાવ્યા વગર એમ જ સમજાઇ જશે..! બસ એ સમયની રાહ જોવાની “ધીરજ” તમારામાં હોવી જોઇએ.! અને સમજવાનું એટલું જ છે કે તમે બંન્ને એ લગ્ન ફરતા ફેરા મજાક માટે નથી લીધા..!
લગ્ન થયા બે પરિવારના.! છોકરીએ છોકરાના મા-બાપને પણ એટલો જ પ્રેમ કરવો જોઇએ જેટલો તે પોતાના મા-બાપને કરે છે અને એ જ નીયમ છોકરાને પણ લાગું પડે છે..! બંન્ને એ સમજવું પડશે કે આઝાદી બંન્નેની છીનવાઇ છે..! બંન્ને એ સમજવું પડશે કે લગ્નના કારણે બંન્ને પર ઘણી જવાબદારીઓ એક સાથે આવી પડી છે. બંને એ સમજવું પડશે કે બંન્નેની પ્રાઇવસી પર તરાપ મરાઇ છે..! અને શંકાનું કોઇ સમાધાન નથી..! એટલે એકબીજા પર શંકા કરવા કરતા, એકબીજાનો સાથ આપવાનો પ્રયત્ન કરવો..! મારી સાથે જ આવું કેમ થાય છે..? હું તેની માટે આટલું કરૂં પણ તેને કદર જ નથી જેવા સવાલો તમારા સુખી જીવનનો અંત લાવવા પુરતા છે..!
જો તમને કોઇ પરીવારના સદસ્ય માટે કોઇ શંકા છે, તો ખોટી ભ્રમણાઓમાં ફસાવું અને તેના કારણે બીજા હજારો નબળા વિચારો મગજમાં પેદા કરવા એ કરતા એ જ વ્યક્તિ સાથે સ્પષ્ટતાથી વાત કરવી વધારે હિતાવહ રહેતી હોય છે, અને તેમા પતિએ પત્નિને કે પત્નિએ પતિને વચ્ચે લાવવા બહું આગ્રહ ના રાખવો..! પતિએ પોતાના પરિવાર તરફથી, પત્નિને અને પત્નિએ પોતાના પરિવાર તરફથી પતિને સપોર્ટ કરવો જરૂરી છે..! પરિવારની માનસીકતા બદલવી અઘરી અને ગુંચવડભરી છે પણ જો પતિ-પત્ની એકબીજા સાથે હોય તો આ તકલીફ કોઇ મોટી તકલીફ નથી..!
પણ અહીં પતિ-પત્નિ જ એકબીજા દુર હોય તો શું કરશું..? બે રસ્તા છે, એક જે છે એ સ્વિકારી લો અથવા ચોખવટથી વાત કરો અને જો આ વાત-ચીત દ્વીપક્ષીય હોય તો તેના જેવું બીજું કશું જ નહી પણ અહી તકલીફ એ રહેશે કે બંન્ને પોતાના અહંકાર અને એટીટ્યુડને બાજુએ મુકી આ ચર્ચામાં ઉતરવું પડશે..! અહીં તમે બંન્ને કાં તો તમે જેવા છો, એવા જ એકબીજાને સ્વિકારી લો અથવા એકબીજા માટે બેંન્ને થોડા બદલી જાવ..!! અને છેલ્લે તલાક તો છે જ, જે મને ગમતો વિકલ્પ નથી. પણ જો લગ્ન ભુલથી અથવા ઉતાવળમાં કરી પસ્તાયા હોય તો તલાક વખતે એ જ વસ્તું રિપીટ ના થાય તેનું ધ્યાન પણ રાખવું જોઇએ.
જે લોકોને લગ્ન ભુલથી થઈ ગયા છે, તેમના માટે આ સિવાય બીજા કોઇ રસ્તા નથી..! મારી શુભકામનાઓ તેમની સાથે છે અને જેમને લગ્ન બાકી છે, તે એક વખત વિચારી લગ્ન કરે કે શું તે આ બધા પરિવર્તનો માંથી પસાર થઈ શકશે..?
July 7, 2016
ફેશનેબલ સંસ્કાર
“મમ્મી, મેં તને કહ્યું ને કે, તું ગમે તે કરે હું કોઇને પણ મળવાની નથી…..! અને આ મારો આખરી નિર્ણય છે…” મિતાક્ષી પગ પછાડતા પોતાના રૂમમાં જતી રહી. મિતાક્ષીને આમ વિફરેલી જોતા ગઢપણના ઉંબરામાં પગ મુકી રહેલા અંજુ બહેનના કપાળ પર ચિંતાની રેખાઓ તણાઇ અને ગુસ્સાના કારણે તેમના પાતળા નેણ ફણસની જેમ ખેંચાયા. થોડી પળો બાદ ફરી ચહેરો શિથીલ થયો અને ચહેરા પર મુંઝવણ તરી આવી અને પાછો કંઇ દ્રઢ્ઢ નિર્ણય કર્યો હોય તેમ મિતાક્ષીના રૂમ તરફ પગ ઉપાડવા ગયા અને પાછા જાણે બંધું જ હારી ગયાં હોય તેમ ત્યાં નજીક સોફા પર પડતું મુક્યું.
સવારની આ ઘમાલ જોઇ રહેલા મંજુબાને લાગ્યું કે હવે તેમને આ ત્રણ દિવસથી ચાલતા ઝઘડામાં માથું મારવું જ પડશે..!! મંજુબા નવ દાયકા વટાવી ચુક્યા હતાં પણ હજી ખડેઘડે હતાં. રોજ સવારે તે બે કિલોમીટર તો આરામથી ચાલી લેતા. કાન અને નાક હજી દુરસ્ત હતાં. તેમના શરીરની ચરબી થોડી જામેલી જેના કારણે તેમને ઉઠવા-બેસવામાં ક્યારેક ક્યારેક તકલીફ થતી. જ્યારે તેમની એકની એક દિકરી અંજુનું યૌવન હજી ઓશર્યુ ન હતું પણ તેના માથાના સહેદ વાળ તેની ઉંમરની ચાડી ખાતા હતાં. જ્યારે આ મા-દિકરીથી વિપરીત મિતાક્ષી અપસરાને પણ શરમાવે તેટલી દેખાવડી હતી અને રોજ જીમમાં કસરત કરવાની આદતને કારણે તેનું શરીર કસાયેલું અને ઘાટીલું બન્યું હતું.
આ ત્રણેય પેઢીના વિચારો એકબીજાથી બિલકુલ અલગ હતાં. મંજુબાએ ભારતની આઝાદીથી માંડી આ કોમ્યુટર યુગ સુધીની સફર જોઇ પણ હતી અને માણી પણ હતી. તેમના જમાનામાં મોઢાં જોયા વગર લગ્ન કરી લેતા, જ્યારે આજે મિતાક્ષી બે વર્ષ લીવ-ઇન-રિલેશનશીપમાં રહીને આવી અને કોઇ નાનકડા ઝઘડાને કારણે તે પોતાના માનેલા પતીને તરછોડીને એમજ આવી ગઈ..!! અને હવે તેને આ લગ્ન અને સંબંધોના નામથી ચીડ ચુકી છે, અંજું બહેન માટે પોતાની દિકરીનું ઘર બંધાય એટલે પોતે ગંગા નહાયા..!! પણ પોતાની આ માથા ફરેલી એમબીએ દિકરીને હવે લગ્ન જ નથી કરવા, તેણે તો પોતાના ભાઇ સાથે પોતાના પપ્પાની ઓફિસે જવાનું પણ ચાલું કરી દિધું હતું.
“બેટા, કેમ લોહી ઉકાળા કરે છે..? છોડને એને એની જીંદગી એની રિતે જીવવા દે ને..!” મંજુબા એ અજું બહેનની સામે જગ્યા લેતા બોલ્યા. અંજું બહેન હવે સાવ ભાંગી પડ્યા હતાં અને ચોધાર આંસું એ રડી પડ્યા. મંજુંબા ટેકો લેતા ઉભા થયા અને અંજુ બહેનની બાંજુમાં બેસી સાંત્વના આપવા લાગ્યા.
“બસ..!! બેટા હવે..!! ચુપ..!! સાવ ચુપ…!!” મંજુબાએ અંજુબહેનનું માથું પોતાની છાતીમાં દાબતા આશ્વાસન આપવા લાગ્યા.
“હું આ બાપ-દિકરીથી કંટાળી ગઈ છું..!! બા..” અંજુંબહેન સ્વસ્થ થતા પોતાની હૈયાવરાળ કાઢવા લાગ્યા. “જે દિવસે આ મિતું, ઘર છોડી પેલા જોડે રેવા જતી તી, તે દિવસે મે તેને કેટલી સમજાવી, મનાવી પણ ના માની અને તેના પપ્પાએ તેને એક શબ્દ પણ ઠપકાનો ના કહ્યો.અને વિવેક ત્યારે અહી હતો નહી, નહિતર જરૂર તેની બહેનને રોકી લેત..!!” અંજુ બહેનના ચહેરા પર ના સમજાય તેવા ભાવો આકાર લેતા હતાં અને શમતા હતાં.
“બેટા, બસ હવે એ પાછી આવી ગઈ છે ને..?? હેંમતકુમારની ઓફિસે પણ જવા લાગીને..!! થોડો સમય આપ બધું બરાબર થઈ જશે..!!” મંજુબા ફરી અંજુ બહેનને સમજાવવા લાગ્યાં.
“બા..!! તમે પણ એમના જેવા થઈ ગયા છો..!! મિતાક્ષી ત્રીસની થઈ બે વરસ તે બહાર પેલા છેલબટાવ સાથે રહીને આવી છે..!! સગાં-વહાલામાં હું કેવી હાંસીને પાત્ર બનું છું, તેનો તમને અંદાજો પણ નથી બા..!” અંજું બહેન પોતાના આંસું લુંછતા અકળાઇને બોલ્યા. મંજુંબાએ કોઇ ઉત્તર ના વાળ્યો.
“હું જ્યારે મિતાક્ષીની વાત છેડું કે તરત જ તેના પપ્પા કહે કે હવે એ નાની નથી રહી કે આપણે તેને ટોકતા રહીએ, તેની જીંદગી છે, તેને જાતે નિર્ણયો લેવા દે અને જરૂર પડશે ત્યારે એ આપણી મદદ માંગશે..!! આવું બોલીને મને એ ચુંપ કરાવી દે છે.” અંજુના અવાજમાં ગુસ્સો વરતાઇ આવતો હતો.
“જો, બેટા સમય હવે બદલાયો છે, અને પહેલા જેવું નથી રહ્યું..!! મિતા તેના પગભર છે અને હવે એ જમાનો જ ક્યાં રહ્યો છે કે સ્ત્રીને કોઇ પુરુષનો હાથ ઝાલવો પડે.? અથવા એકલા જીવન જીવવા માટે કષ્ટ વેઠવું પડે..!! એ આ જમાનાની છોકરી છે, એ તારી વાત નહી સમજે, એ તું બરાબર જાણે છે, તો શા માટે લોહી ઉકાળા કરે છે..??” મંજુંબા થોડા સમજવટના, તો થોડા ઠપકાના સુરમાં બોલ્યાં.
“બસ, બા..! તમને આ વાત જરા પણ શોભતી નથી..!! ભુલી ગયા..? તમે જે મારા જીવનમાં રમતો રમી હતી, તે કાંઇ ઓછી નહોતી..!!” કહેતા અંજું બહેનન છણકો કરતા ઉભાં થયા અને દિવાનખંડ વટાવી મુખ્ય દરવાજા સુધી પહોચ્યાં, ત્યાં તેમની બાળપણની બહેનપણી અનુરાધા સામે અથડાઇ.
“લે, અંજુ તું ક્યારે આવી..?” અનુરાધાએ ચોંકતા કહ્યુ, અંજુબહેન તેને કશો જ જવાબ આપ્યા વગર ઉંધું માથું નાખી ચોગાનમાં કાર ઉભી હતી, તેમાં બેસી ગયા, બીજી જ મિનિટે કાર ગતી પકડી અને ક્ષીતીજમાં વિલિન થઈ ગઈ. અનુરાધા થોડીવાર અવઢવમાં દરવાજા પર જ ઉભી રહી અને પછી અંદર પ્રવેશી. મંજુંબા વિચારોમાં ક્યાય ખોવાઇ ગયા હતાં. ઘરનું વિચિત્ર વાતાવરણ જોતા અનુરાધા થોડી મુંઝાઇ.
“જયશ્રી કિષ્ના, મંજુબાં..!!” અનુરાધાએ થોડીવાર બાદ હાથ જોડતા કહ્યું.
“અરે, બેટા અનું…!! આવ, આવ, બેસને..!! ઘણા દિવસે દેખાઇ..!!” મહેમાનને જોતા જ મંજુબાના હાવભાવ ફરી ગયાં. મંજુબાના ચહેરા પર એક મોટા સ્મિતેજગ્યા લઈ લીધી. અનુરાધાને પોતે ખોટા સમયે આવી હોય તેવું ભાન થતા, સંકોચ સાથે મંજુબાની સામે જગ્યા લીધી. થોડીવાર શાંતી છવાયેલી રહી.
“શું થયું મંજુંબા, અંજુ કેમ આટલા ગુસ્સામાં હતી..!!” અનુંરાધાએ શાંતીભંગ કરતા અંતે પુછ્યું.
“કંઇ નહી, બસ આજે અમારી મા-દિકરી સામે ભુતકાળ આવીને ઉભો રહી ગયો છે..!!” મંજુંબાએ નિસાસો નાખતા કહ્યું.
“કેમ શું થયું બા..? પુરી વાત કરો ને..!!” અનુરાધા અકળાતા બોલી.
“એ મિતાક્ષીના લગ્નની જીદ લઈને બેઠી છે, અને મિતાક્ષીની આ સંબંધોની માયાજાળ પડવાની ઇચ્છા જ મરી પરીવારી છે..!! કાલે એક છોકરો તેને મળવા આવવાનો છે, પણ આ મિતુડી ત્રણ દિવસથી અહીં જ પડી રહી છે કે તેની મમ્મી સાથે લમણાજીક ના કરવી પડે, પણ પેલી પણ એટલી જ જક્કિ છે, રોજ આવીને મનાવે અને ગુસ્સે થઈ જતી રહે..!!” મજુંબાએ પોતાનું મન હળવું કરતા કહ્યું. થોડીવાર કોઇ કશુંના બોલ્યું અને અનુરાધા થોડું હસાઇ જવાયું. મંજુંબા ભવા તાણતા તેની સામે જોઇ રહ્યાં.
“શું થયું..? કેમ હસે છે..??” મંજુંબાએ પુછી જ લીધું.
“તમે, અંજું વખતે કેવી ચતુરાઇ વાપરી હતી..!! યાદ છે ને..!! ફરી વખત એ ખેલ નાખો..!! તો મિતાક્ષીનું પણ ગોઠવાઇ જશે..!” અનુરાધાના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. “યાદ છે ને..? કેવી ટોમબોયની જેમ રખડતી હોતી..! અને હવે જો, અત્યારે આ મિતાક્ષીને લગ્નની સલાહો આપતી થઈ ગઈ..!!” અનુરાધાની આંખોમાં ભુતકાળ જીવતો થઈ ગયો .
“શું મમ્મી પહેલા ટોમબોયની જેમ રખડતી…?” ક્યારની પાછળ સંતાઇને ઉભેલી મિતાક્ષી વાતમાં રસ લેતી ટપકી પડી. તેણે મંજુબાના બાજુંમાં જગ્યા લીધી અને તેમના ખોળામાં માથા મુકી દિધું.
“કેમ તારી મમ્મીને આટલી પજવે છે..? એક વાર મળી લે ને નવા લબરમુછીયાને અને ના ગમે તો, ના પાડી દે જે પણ મારી દિકરીને તો શાંતી થશે..!” મંજુબાએ પોતાનો પ્રેમાળ હાથ મિતાક્ષીના ચહેરા પર ફેરવતા કહ્યું.
“એ બધી પછી વાત કરીએ, પહેલા કહો તમે કહો કે આ મમ્મીના ભુતકાળની શું કહાણી છે..? શું મમ્મીને છેતર્યા હતાં..? અને આ સિધી-સાદી દેખાતી મારી મમ્મી એના જમાનામાં ટોમબોય હતી..??” મિતાક્ષી તેની મમ્મી સાથે થયેલો ઝઘડો ભુલી, તેના મમ્મીનો ભુતકાળ જાણાવા આતુર હતી .
“તારી મમ્મી, તારા કરતા પણ બે ડગલા આગળ હતી, એ 1970ની સાલમાં એ રાજદુત ચલાવતી અને છોકરા જેવા વાળ રાખતી..!!” અનુરાધાએ મિતાક્ષીની જીજ્ઞાશા સંતોષવા વાત આગળ વધારી.
“તો મમ્મી સાવ આવી કેમ થઈ ગઈ છે..? સાવ છોકરી જેવું વર્તન કરે છે..!! નહી નાની..?”મિતાક્ષી મંજુબા સામે જોતા બોલી.
“એ સ્ત્રી છે, તો તેના જેવું જ વર્તેને..?” નાનીએ ટાપચી પુરી અને બધાં હસવા લાગ્યાં.
“અનુમાસી, મને કહોને કે મમ્મીમાં, આટલું બધું પરિવર્તન કેવી રિતે આવ્યું..??” મિતાક્ષીએ ફરી વાતનો દોર પકડ્યો.
“તારા પપ્પાના પ્રેમના કારણે, ભગવાને બહું જ સમજદારીથી સ્ત્રી-પુરુષને બનાવ્યા છે, બન્ને એકબીજાના પુરક છે..! જે તારી મમ્મી એની જુવાનીમાં નહોતી સમજતી અને હવે તું નથી સમજતી..!” અનુરાધા મીઠો ઠપકો આપતા બોલી.
“હવે મને આખી વાત કરવી છે કે નહી..??” મિતાક્ષીએ કંટાળતા કહ્યું.
“હું આખી વાત કરીશ, પણ પ્રોમીસ આપ કે કાલે તું એ છોકરાને મળવા જઈશ..!!” મંજુબા તક ઝડપતા બોલ્યા. મિતાક્ષીએ મોઢું મચકોડતા અંતે હા પાડી અને તેના મમ્મીનો ભુતકાળ સાંભળવા ટટ્ટાર થઈ.
“અમારે સંતાનમાં બે દિકરીઓ જ હતી, એક તારી મમ્મી અને બીજા તારા ઉમામાસી એટલે તારા નાનાને મન તો આ મોટી અંજુ એ જ જાણે કે દિકરો…!! અમે તેને એક દિકરાની જેમ જ ઉછેરી હતી, ત્યારે તો આડોસી-પાડોસી પણ અમને ખુબ ઠપકો આપતા કે દિકરીને આટલી બધી છુટ ના અપાય પણ અમારે મન તો અંજુની ખુશી એ અમારી..!! એ ઘણી વખત તારા નાનાનું રાજદુત લઈને તેના મિત્રો સાથે ફરવા નીકળી પડતી..!! તેના પુરુષમીત્રો પણ બહું બધા હતાં. હું ને તારા નાના તેના પર આંખો બંધ કરી વિશ્વાસ કરતા અને તેણે કદી અમારો વિશ્વાસ તોડેલો પણ નહી, પણ સમસ્યા પછી ઉભી થઈ..!!” મજુંબા અટક્યા. મિતાક્ષી અને અનુરાધા વાત અટકતા થોડા અસહજ થઈ ગયાં. મંજુબાને ગળુ સુકાયું હોવાના કારણે ગળામાં સોસ પડતો હતો, જે મિતાક્ષીને ખ્યાલ આવતા દોડતી જઈ રસોડામાંથી પાણીનો જગ અને ગ્લાસ લઈ આવી, એક ગ્લાસ તેણે અનુરાધાને પણ આપ્યો.
“કંઇ સમસ્યા ઉભી કરી હતી મારી મમ્મીએ..??” મિતાક્ષીએ મંજુબાએ ગ્લાસ પુરો કર્યો કે તરત જ બોલી.
“તેને લગ્ન નહોતા કરવા..!!” મંજુંબાએ હાસ્ય સાથે કહ્યું. મિતાક્ષીની આંખો પહોળી થઈ ગઈ.
“અમે બંન્ને તેને ખુબ સમજાવતા પણ તે એકની બે ના થઈ, તારા કરતા પણ વધું જીદ્દી હતી, ઉમા પણ લગ્નની ઉંમરે પહોચી ગઈ હતી, હવે જ્યાં સુધી મોટી દિકરીના લગ્ન બાકી હોય ત્યાં સુધી નાનીના લગ્ન કેવી રિતે કરવા એ પ્રશ્ન તો હતો જ, ત્યાં તારી ઉમામાસી અનુજકુમારને અમારા સામે ખડા કરી દિધા અને હળવેથી બોલી પણ ગઈ કે મારે આમની સામે લગ્ન કરવા છે..!” મિતાક્ષીને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો કે તેની માસીએ એ જમાનામાં પ્રેમ લગ્ન કર્યા હતાં.
“વાતને લંબાવો નહી, મને સિધું કહો કે તમે આ બંન્ને બહેનોના લગ્ન કેવી રિતે પાર પાડ્યા..??” મિતાક્ષીને લાંબી વાર્તા કરતા સાર સાંભળવામાં રસ હતો.
“ઉમાએ અમારું કામ સાવ સરળ કરી દિધું, મેં અનુજકુમારને સ્પષ્ટ કહ્યું કે અમને તમારી સામે કોઇ વાંધો નથી પણ જ્યાં સુધી મોટી દિકરી બાકી છે, ત્યાં સુધી નાનીના લગ્ન અમે ના કરી શકીએ, હવે તમારે ભાગીને લગ્ન કરવા હોય તો અમે નહી રોકીએ..!! પણ વિધિવત કરવા હોય તો અંજુના લગ્ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે..! મારો આ નિર્ણય સાંભળતા બંન્ને મુંઝાયા, એ સમયે અંજુ બે મહિના માટે દિલ્લિ કોઇ ટ્રેકિંગ કેમ્પમાં ગઈ હતી એટલે તેને આમાંથી કોઇ વાતની તેને જાણ ન હતી. ત્રણ ચાર દિવસ બાદ અનુજકુમાર ઘરે આવ્યા અને તેમના મોટાભાઇ હેંમતકુમાર માટે અંજુનો હાથ માંગી લીધો. અનુજકુમારે સામેથી કહ્યું કે તેમણે મોટાભાઇને જ્યારે અંજુ વિષે બધી જ વાત કરી કે તે તરત તેમને ગમી ગયા, તેમને આવી જ કોઇ છોકરી સાથે લગ્ન કરવા હતાં..!! હવે તો બધું તૈયાર હતું, અમે તેમના મમ્મી-પપ્પાને મળ્યા, ઘર, કારોબાર, માણસો બધું બરાબર હતું પણ અંજુને હેંમતકુમારને મળવા કેવી રિતે મનાવવી, એ જ પ્રશ્ન હતો..!! અને મે યુક્તિ બનાવી કાઢી..!!” મંજુબા ગર્વ લેતા હોય તેમ બોલ્યા.
“તમે શું કર્યુ..?” મિતાક્ષી ઉત્સુકતા સાથે પુછી બેઠી.
“તારા નાનીએ બહું મોટો પ્રપંચ રચ્યો. અંજુ જ્યારે દિલ્લિથી ઘરે આવી તો જોયું કે ઉમા વિલચેર પર હતી.” અનુરાધાએ વાતનો દોર સંભાળ્યો, મંજુબાને વાત કરવામાં હવે થોડી તકલીફ પડી રહી હતી.
“અંજુતો ઉમાને ગાંડો પ્રેમ કરતી અને તેને આમ વિલચેર પર જોતાતો જાણે તેનું મગજ ફાટી ગયું, આખા ઘરમાં રાડા-રાડી કરી નાખી, કે તેને ઉમાના એક્સિડેંન્ટની જાણ કેમ કરવામાં ના આવી, એક દિવસ બાદ એ માંડ શાંત થઈ. પછી મંજુબાએ એક્સિડેંટની હકિકત કહી કે તે ભાગીને લગ્ન કરવા જઈ રહી હતી, પણ બારીની બહારથી કુદતા તેનો પગ લપસ્યો અને અકસ્માત સર્જાયો..!” અનુરાધા વાત કરી રહી હતી અને મંજુબા ભુતકાળમાં સરી પડ્યાં. હજી તેમના કાનમાં અંજુના તીખા શબ્દો સંભળાઇ રહ્યા હતાં.
“પણ, ઉમાને ભાગવાની નોબત જ કેમ આવી..? એવું તે છોકરામાં તમને શું ના ગમ્યું કે તમે તેને લગ્નની પરવાનગી ના આપી..?” અંજું બરાડા પાડી વાત કરી રહી હતી.
“અમે સંમતી આપી હતી, પણ મેં તેને એમ સમજાવ્યું કે દીદીના લગ્ન ના થાય, ત્યાં સુધી અમે તારા લગ્ન ના કરાવી શકીએ અને સામે વાળા પક્ષે પણ આ જ સમસ્યા છે કે અનુજના મોટાભાઇના લગ્ન ના થાય ત્યાં સુધી, તે અનુજના લગ્ન નહોતા કરવાના, એમાં આ બંન્નેને લાગ્યું કે તમારા બંન્નેની જીદ્દ્ને કારણે તે બાકી રહી જશે, એટલે તેમણે ભાગવાનો નિર્ણય કર્યો અને આ દુર્ધટના સર્જાઇ..! ત્રણ મહિના વ્હિલ-ચેર પર જ રહેવું પડશે..!!” મંજુબા વ્યથીત થતા બોલ્યા.
“કેવા લોકો છો,તમે લોકો..? શું ફરક પડે, જો તમે ઉમાના લગ્ન કરાવી આપો તો..? મારા લગ્નની ખોટી જીદ લઈને બેઠા છો..!” અંજુ ત્રાડુકી પણ મંજુબા કશો જ જવાબ આપે એ પહેલા અનુજ ઘરમા પ્રવેશી ચુક્યો હતો.
“માફ કરજો, તમારી વાતમાં હું ખલેલ પહોચાડું છું, પણ મારે અત્યારે આવવું જરુરી હતું.” અનુજ દિવાનખંડમાં આવતા જ બોલ્યો. દિવાનખંડમાં ચુપચાપ બેઠેલા રમણલાલ આવનાર મહેમાનનું સ્વાગત કરવા ઉભા થયા અને બેસાડ્યાં, બધાંનું ધ્યાન તેમના તરફ હતું, ઉમા નીચે મોં કરીને બેઠી હતી.
“અમે લોકો ત્રણ દિવસ બાદ, ભાઇ સાથે ન્યુયોર્ક રહેવા જઈ રહ્યા છીએ, હંમેશા માટે..!!” અનુજ પરાણે બોલી શક્યો.
“અને ઉમાનું શું થશે..?” અંજું આંખો કાઢતા બોલી.
“મારા મમ્મી-પપ્પાને હજી ઉમાને સ્વિકારવામાં કોઇ વાંધો નથી, પણ ભાઇના લગ્ન પહેલા મારા લગ્ન કરવા રાજી નથી, અને હું ફરીથી આવું કોઇ પગલું ના ભરું, એટલે અમે બધા યુએસએ શિફ્ટ થઈ રહ્યા છીએ..! ભાઇ તો ત્યાં વર્ષોથી રહે જ છે..!!” અનુજને બોલવામાં ઘણી તકલીફ પડી રહી હતી.
“કેવા લોકો છો તમે બધા, હવે કોઇને લગ્ન નથી કરવા તો નથી કરવા, શા માટે તેમની પાછળ બધાની જીંદગી બરબાદ કરવા બેઠા છો..?” અંજુ માથું પકડીને સોફા પર બેસી ગઈ.
“એમને તો લગ્ન કરવા છે, બસ તેમને પંસંદની છોકરી નથી મળતી..!” અનુજ ધીમે ધીમે વાતનો દોર પકડી રહ્યો હતો.
“એવી તો તેમને કેવા રૂપ-રૂપના અંબાર જેવી સ્ત્રી જોઇએ છે..??” અંજુંથી પુછાઇ ગયું.
“તમારા જેવી, એટલે કે ટોમબોય ટાઇપની..!” અનુજ માંડ બોલી શક્યો. હવે બધા અંજુ તરફ જોઇ રહ્યા હતાં. જ્યારે અંજુંની જીભ આ સાંભળતા મોઢામાં જ રહી ગઈ. તે કોઇ સાથે નજર ના મિલાવી શકી. તેની જીદ્દ હવે આ બે પરિવારને એક કરવામાં શુળ રૂપ સાબીત થઈ રહી છે..!!
“અને જો હું હા પાડું તો, તમારા ભાઇ મારી સાથે લગ્ન કરી લેશે..?” પાંચ મીનીટની શાંતી બાદ અંજુંએ ધીમેથી બોલી.
“એ વાત સાચી કે અમારે તારા લગ્નની ઉતાવળ છે, પણ એનો અર્થ એવો પણ નથી તને અમે આમ સાવ આંધળો નિર્ણય લેવા દઈશું..!!” ઘણા સમયથી ચુપ બેઠેલા રમણલાલ અંતે બોલ્યા.
“તો તમે લોકો શું ઇચ્છો છો..?” અંજુંએ કંટાળીને જોરથી બોલી.
“કે તું દિલથી લગ્ન કરવા તૈયાર થા..!! આ કોઇ પાંચ મિનિટનો ખેલ નથી, આખી જીંદગીનો સવાલ છે અને તારા ઉતાવળીયા નિર્ણયને કારણે હેંમતને પણ તકલીફ પડે અને ભવિષ્યમાં તારી બહેનને પણ..!!” મંજુંબા સમજાવતા બોલ્યા.
“ઠિક છે, પહેલા હું એમને મળી લઉ, પછી નક્કી કરીશ બસ..!!” અંજુ પરાણે સંમત થતા બોલી.
“હું તેમને મારી સાથે જ લાવ્યોછું..!! બહાર કારમાં બેઠા છે, એમને બોલાવી લંઉ..?” અનુજ ઉસ્તાહથી બોલી ગયો. અંજુ આશ્વર્યથી, તો મંજુબા ગુસ્સાભરી નજરે અનુજ તરફ જોવા લાગ્યા.
દસ મિનિટ બાદ હેંમત અને અંજુ એક ઓરડામાં બેઠા હતાં. અંજુએ ભુખરો અને બરછટ શર્ટ પર બ્લુ જીંસ પહેર્યુ હતું. વાળની નાની એવી પોની લીધેલી હતી. મોઢા પર કોઇ જ પ્રકારનું મેકઅપ નહોતું..!! જ્યારે હેંમત કુમારની દાઢી વધેલી હતી, કપડા સિલેક્શન કરવામાં કાચા હતાં, તે તેમના પહેરવેશ પરથી દેખાઇ આવતું હતું. બંન્નેના મનમાં વિચિત્ર લાગણી હતી, પણ બંન્નેમાં એક વાત કોમન હતી કે તેમને દુનીયાની કોઇ જ પડી ન હતી, બસ બંન્ને પોતાની મસ્તીથી જીવવા માંગતા હતાં.
અંજુ હેંમતને જોતા જ ઘણું બધું સમજી ચુકી હતી. પણ અંજુના મનમાં ઘમાસાણ ચાલી રહ્યું હતું કે આટલો જલ્દી તે કેવી રિતે નિર્ણય લઈ શકે..? તે કેવી રિતે કોઇની ગુલામીમાં આખી જીંદગી કાઢી શકે..? પત્ની બંની તે કોઇનો પડછાયો કેવી રિતે બની શકશે..??
“તમારે મારી સાથે શું કામ લગ્ન કરવા છે..??” અંતે અંજુંએ વાત કરવાની શરૂઆત કરી. હેંમત આવા જ કોઇ સવાલની રાહ જોઇ રહ્યો હતો, જવાબ આપવા તે ટટ્ટાર થતો હોય તેમ બેઠો.
“હું હમેંશા એમ માનતો આવ્યો છું, કે લગ્ન માણસને પુર્ણ બનાવવા માટે થતા હોય છે, નહિ કે તેના ખભા પર જવાબદારીઓ વધારવા..!! મને એ છોકરીઓ જરા પણ નથી પસંદ જે પોતાનું અસ્તિત્વ જ ના સમજતી હોય, બસ પહેલા પીતા દોરે તેમ અને પછી પતિ દોરે તેમ જીવી જતી હોય..!! પણ મારે એવી છોકરી જોઇએ છે જે આઝાદ મનની હોય, પોતાના માટે પણ જીવતી હોય..! તમારા જેવી..!!” હેંમતે અંજુની તરફ જોઇ લેતા બોલ્યો.
“આવી છોકરી પામી, તમારો અહમ નહી ઘવાય..? તમે થાકીને આવશો ત્યારે હું તમને પાણી ભરીને નહી આપું, પતિવ્રતા પત્નિના જેમ તમે જમો પછી જ હું જમીશ એવી કોઇ ટેક નહી રાખું..! સાડી નહી પહેરુ..! અને લગ્ન પછી પણ મારા પુરુષમિત્રો તો હશે જ..!!” અંજુના અવાજમાં એક રણકો હતો.
“તમે તમારું તો ધ્યાન રાખશો ને..?” હેંમતે અંજુની વાતનો જવાબ આપ્યા વગર સામે સવાલ કર્યો.
“હા.. એ તો હું રાખીશ જ…. પણ મને એ નથી સમજાતું, કે જો આવી નાની નાની વસ્તુંઓમાં તમને રસ ના હોય તો લગ્ન જ કેમ કરો છો..?” અંજુને સામે બેઠેલો વ્યક્તિ નહોતો સમજાઇ રહ્યો.
“મારે કામવાળીની નહી, પણ એક મિત્રની જરૂર છે..!! જે મારી જવાબદારી નહી પણ મિલકત હોય..!” હેંમત આટલું કહીને ઉભો થયો.
“તમારે મને બીજું કશું જ પુછવું છે..?” હેંમતે છેલ્લો સવાલ કર્યો પણ અંજુ કશું જ ના બોલી.
“હું યુએસએ માં જ રહું છું, બસ ચાર મહીનાની રજા ગાળવા આવ્યો હતો. આજે બુધવાર છે અને રવિવારે એ ચાર મહિના પુરા થાય છે, પછી હું બે વર્ષ પાછો નહી આવી શકું, તો હું ઇચ્છું કે તમે મને આજે રાત્રે 9 વાગ્યા પહેલા જવાબ આપો તો આગળની વીધીની ખબર પડે..!!” હેંમત અલ્ટીમેટમ આપતો હોય તેમ બોલ્યો અને નીકળી ગયો.
ત્યાર બાદ કોઇ અંજુને મળવા નહોતું આવ્યુ. પહેલીવાર અંજુને એમ લાગ્યુકે ભગવાને તેના માટે પણ કોઇ પુરુષ બનાવ્યો છે, તે સાંજ સુધી વિચારતી રહી પણ તેને ના પાડવાનું કોઇ જ કારણ ના મળ્યું.
“પપ્પાને સાચે જ યુએસએ જવાનું હતું..?” મિતાક્ષીએ તેના મમ્મી-પપ્પાની સ્ટોરી જાણી કોઇ નવો જ ઉમંગ આવી ગયો હતો.
“હા..!! પુરી વાતમાં ખાલી તારા માસીનું એક્સીડેંટ અને અનુજજીજુના પુરા પરિવારનું યુએસેએ શિફ્ટ થવાની વાત જ ખોટી હતી, બાકી બધું જ સાચુ..!!” અનુરાધાએ હસતા ચહેરે બોલી.
“તો શું ત્રણ દિવસમાં લગ્ન થઈ ગયા..?” મિતાક્ષીએ ફરી પ્રશ્ન પુછ્યો.
“હા..!! બહું નજીકના મહેમાનો ને બોલાવ્યા હતાં, શનિવારે સવારે 9 વાગ્યે અમે બધા કોર્ટે ભેગા થયા અને બધા મળીને માંડ 10 જણા હોઇશું..!! અને 9:25 તો બધું આટોપાઇ ગયું પણ વરમાળા પહેરાવતી વખતે તારા પપ્પાએ તારી મમ્મીને પુછતા હતા કે હજી મનમાં કોઇ સંશય હોય તો પાછા વળી જઈએ પણ તારા મમ્મીએ ખાલી એટલું બોલી કે તે ખુશ છે..!!” મંજુબાએ હસતા બોલ્યાં.
“ઉમામાસીના નાટકની ખબર પડી હશે એટલે મમ્મી દુખી થઈ હશે ને..? એટલે સાવ મમ્મી બદલાઇ ગયા છે ને.??” મિતાક્ષીને પોતાની સાડીવાળી મમ્મીની કલ્પના આવતા તરત પુછ્યું.
“ના હવે, એ તો અમે એ જ દિવસે બધો ફોડ પાડી દિધો હતો. આ તો હેંમત કુમારના મમ્મી-પપ્પાને ગમતું એટલે તારી મમ્મીએ સાડી સ્વિકારી લીધી અને અમુક બદલાવો તેણે સ્વેચ્છાએ સ્વિકાર્યા હતાં, તેણે લગ્ન બાદ કદી કોમ્પ્રોમાઇઝ નથી કર્યુ, અંજુનો અને હેમંતકુમારનો પ્રેમ આપણા આખા સમાજમાં વખણાય છે, આ તો તારા કારણે હમણા બંન્ને વચ્ચે તકરાર વધી ગઈ છે..!!” મંજુબાએ વ્યથા ઠાલવતા કહ્યું. “અંજુને તારા કારણે પોતાના લગ્ન કરવા પર અફસોસ થાય છે, અને મારા પર ગીન્નાઇ છે..!!”
“બસ હવે મને ઇમોશનલ બ્લેકમેઇલ કરવાની જરૂર નથી, કાલે હું પેલા છોકરાને એક વખત મળી લઈશ..!! તેને પણ જો કામવાળીના બદલે એક મિત્રની જરૂર હશે તો હું હાં પાડી દઈશ બસ..!!” કહેતા મિતાક્ષી મંજુબાને ગળે વળગી પડી.
May 15, 2016
Is India Secular? or are we united?
Recent days the topic of intolerance got a huge attention. In a secular country like India, discussion about intolerance is not acceptable but it is happening in India. So here question arises that, is India a secular country..??
Before we discuss, let’s understand what secular state is. “Secular state claims to treat all its citizens equally regardless of religion, and claims to avoid preferential treatment for a citizen from a particular religion/non religion over other religions/non religion.”
Preamble of Indian constitution says that India is a secular country but is Government following the constitution….?? Let’s see..!!!
Minority: This word means a lot. If we elaborate it, then it will mean – one religion with very low head count compare to another religion falls under Minority. Now If India is secular country as it stated in preamble of Indian constitution and also In S.R. Bommai vs UOI (1994) The SC of India held “A state which does not recognise any religion as the state religion, it treats all religions equally” so why we need ministry of minority..??
“To ensure a more focused approach towards issues relating to the notified minority communities namely Muslim, Christian, Budhist, Sikhs, Parsis and Jain.” – Ministry of Minority.
Here government clearly indicates that they are worrying about some religions/communities that have lower head count and underdeveloped, government will try to uplift them and will help them to develop. If India is secular then why government is giving importance to particular religions/communities?? …!!
Cast certificates : If India is secular then why we need cast certificates and why government giving privilege to some particulars cast under the name of minority and reservation …?? Every cast, religion, or communities must be treated equally.
Subsidy and patronage : Government openly give subsidies to pilgrims of different religion to help them to visit their holy places and for Yatras, helping to arrange big Holy ceremonies and gatherings, provide patronage to religious institutions for their development etc etc. Why a secular state should worry about development of their citizen’s religion if all are equal in eyes of constitution.
State creation : every communities want their own state like Gorakhaland, Kamtapur, Avadh, Bundelkhand, Bhojpur, Mithila, Malwa and lot more. If we are from united country then why we need to carve more and more boundaries within the country…?
Reservation: The burning issue of India. A whole book can be written on this topic but my point is clear, reservations separate us. This system is divided us in different social groups.
There are many other points which clearly shows that India is not united we are just acting like we are united and one. yes, it is true. So now what..? Will this situation continue or do we want to United again..?
If answer is yes then what we can do to overcome these issues..?? Yes I have the answer, I have covered the solutions of all this issues in my Novel Rudra : Aek Nava Yug Ni Sharuaat which is going to published on 21st March 2016. So for now first lets’ understand how all these issues arise and reach at present position.
During British rule they use one brilliant policy (I hate it) that is “Divide and rule” and now our spiritual gurus, leaders, leaders of different castes use the same policy on us.
It is big game. Common people are like a herd of ship and leaders are like shepherd, they just give orders and we follow. But why we are following them..? Are we not mature..?? Yes, we are mature enough but we are greedy and selfish. Yes, you read correctly.
We need good jobs without efforts, we want comfort without hard work, and we all want to go heaven though we don’t know anything about it. Our leaders know it very well that we are lazy and our mind is corrupt so they played a trick. They convinced us that if we follow them in name of god, Caste, social group, religion, and country, they will show us the way to heaven, provide comfort and peace. We are lazy enough to think what is right and wrong and we started to follow them.
First they divided us based on country then state and small provinces. Though they were not satisfied, further they divided us on the basis of Caste, Religion, Communities, and also on the bases of languages….!!!
They give us reason to fight on name of country, religion, god, caste, and what not. We are fighting for centuries without thinking what we are getting from this fight.
I can understand the problems of ancient world as they have limited sources of information but we are literate and connected to whole world though we don’t understand this.
It is not problem of Indian people but everywhere in the world this is happening. A handful people who want to rule and they know what people want. They give us reasons to fight for them and we are blind and selfish enough to follow them.
Conclusion:
So what are the solutions..?? Do we need to kill that all handful leaders..?? That is not solution as if we kill them another will rise. They will not stop to tempting us. So We have two options one is humanity and second is self interest. I salute Angela Merkel, chancellor of Germany, who chosen humanity against her political career. We need leaders who can give priority to humanity then his/her own personal interest. I have created one hero Rudra chauhan and I know he is somewhere around us or inside us and one day he will rise and lead us to actual human glory and will create one united India, one united world…!!!
January 2, 2016
Is India Secular? or are we united?
Recent days the topic of intolerance got a huge attention. In a secular country like India, discussion about intolerance is not acceptable but it is happening in India. So here question arises that, is India a secular country..??
[image error]
Before we discuss, let’s understand what secular state is. “Secular state claims to treat all its citizens equally regardless of religion, and claims to avoid preferential treatment for a citizen from a particular religion/non religion over other religions/non religion.”
Preamble of Indian constitution says that India is a secular country but is Government following the constitution….?? Let’s see..!!!
Minority: This word means a lot. If we elaborate it, then it will mean – one religion with very low head count compare to another religion falls under Minority. Now If India is secular country as it stated in preamble of Indian constitution and also In S.R. Bommai vs UOI (1994) The SC of India held “A state which does not recognise any religion as the state religion, it treats all religions equally” so why we need ministry of minority..??
“To ensure a more focused approach towards issues relating to the notified minority communities namely Muslim, Christian, Budhist, Sikhs, Parsis and Jain.” – Ministry of Minority.
Here government clearly indicates that they are worrying about some religions/communities that have lower head count and underdeveloped, government will try to uplift them and will help them to develop. If India is secular then why government is giving importance to particular religions/communities?? …!!
Cast certificates : If India is secular then why we need cast certificates and why government giving privilege to some particulars cast under the name of minority and reservation …?? Every cast, religion, or communities must be treated equally.
Subsidy and patronage : Government openly give subsidies to pilgrims of different religion to help them to visit their holy places and for Yatras, helping to arrange big Holy ceremonies and gatherings, provide patronage to religious institutions for their development etc etc. Why a secular state should worry about development of their citizen’s religion if all are equal in eyes of constitution.
State creation : every communities want their own state like Gorakhaland, Kamtapur, Avadh, Bundelkhand, Bhojpur, Mithila, Malwa and lot more. If we are from united country then why we need to carve more and more boundaries within the country…?
Reservation: The burning issue of India. A whole book can be written on this topic but my point is clear, reservations separate us. This system is divided us in different social groups.
There are many other points which clearly shows that India is not united we are just acting like we are united and one. yes, it is true. So now what..? Will this situation continue or do we want to United again..?
If answer is yes then what we can do to overcome these issues..?? Yes I have the answer, I have covered the solutions of all this issues in my Novel Rudra : Aek Nava Yug Ni Sharuaat which is going to published on 21st March 2016. So for now first lets’ understand how all these issues arise and reach at present position.
During British rule they use one brilliant policy (I hate it) that is “Divide and rule” and now our spiritual gurus, leaders, leaders of different castes use the same policy on us.
It is big game. Common people are like a herd of ship and leaders are like shepherd, they just give orders and we follow. But why we are following them..? Are we not mature..?? Yes, we are mature enough but we are greedy and selfish. Yes, you read correctly.
We need good jobs without efforts, we want comfort without hard work, and we all want to go heaven though we don’t know anything about it. Our leaders know it very well that we are lazy and our mind is corrupt so they played a trick. They convinced us that if we follow them in name of god, Caste, social group, religion, and country, they will show us the way to heaven, provide comfort and peace. We are lazy enough to think what is right and wrong and we started to follow them.
First they divided us based on country then state and small provinces. Though they were not satisfied, further they divided us on the basis of Caste, Religion, Communities, and also on the bases of languages….!!!
They give us reason to fight on name of country, religion, god, caste, and what not. We are fighting for centuries without thinking what we are getting from this fight.
I can understand the problems of ancient world as they have limited sources of information but we are literate and connected to whole world though we don’t understand this.
It is not problem of Indian people but everywhere in the world this is happening. A handful people who want to rule and they know what people want. They give us reasons to fight for them and we are blind and selfish enough to follow them.
Conclusion:
So what are the solutions..?? Do we need to kill that all handful leaders..?? That is not solution as if we kill them another will rise. They will not stop to tempting us. So We have two options one is humanity and second is self interest. I salute Angela Merkel, chancellor of Germany, who chosen humanity against her political career. We need leaders who can give priority to humanity then his/her own personal interest. I have created one hero Rudra chauhan and I know he is somewhere around us or inside us and one day he will rise and lead us to actual human glory and will create one united India, one united world…!!!